________________
પૂરો થાય છે. સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસ ભવિષ્યના કોઇ સુભાગી લેખક લખશે તેવી અપેક્ષાએ હું માત્ર ઉપસ’હારમાં થોડીક વિગતો આપી વિરમું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં જે જે વિદ્રાનાની કૃતિઓના મેં આધાર લીધા છે અને જે જે મિત્રાએ અને ગૃહસ્થાએ સ્ફુટ માહિતી પૂરી પાડી છે તે સર્વના તથા સારઠ સ ંશાધન સભાએ આ પુસ્તક પ્રકાશન માટે સ્વીકાર્યું" તે માટે સભાના અંત:કરણપૂર્વક આભાર માનું છું.
જૂનાગઢના નાગરિકો અને જૂનાગઢ- ગિરનારના ઇતિહાસમાં રસ લેતા વાચકો આ પુસ્તકમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે ઉપેક્ષા કરી, તેમાં રહેલી અપૂર્ણતા લક્ષ્ય ન લેતાં, ઉદાર દૃષ્ટિથી તેના ઉપયોગ કરશે તો મારો શ્રમ સાર્થક થયા છે તેમ હું માનીશ.
‘આજસ’
સરદાર ચાક, જૂનાગઢ.
તા. ૧૦–૩–૧૯૭૫
શ’ભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ