________________
૪૩૮ : જુનાગઢ અને ગિરનાર
સુંદર સ્થાન આવેલું છે. તે સુદર્શન તળાવના કાંઠાથી બહુ દૂર નહિ હાય. અહિં અત્યારે એક મસ્જિદ છે જે સ્પષ્ટ રીતે મદિર હાવાનું જણાય છે. તેનાં તારા અને સ્તંભો તેમજ અધ સ્ત ભા ઉપરથી સ્મૃતિ એ ખોદી નાખવામાં આવી છે. તેના મહેરાબના સ્ત ંભો પણ સ્પષ્ટપણે હિન્દુ મંદિર્ગના છે. તેના ઉપર કાઈ નાના પરિકરના મધ્ય ભાગ મૂકવામાં આવ્યા છે. મુકાનની સ્ત ભાવલીમાં પણ વેલી, પુષ્પો અને સ્મૃતિએ કડારેલી હરી. તેના ધણા ભાગ નષ્ટ થયા છે.
1
આ મસ્જિદના મધ્ય દ્વાર ઉપર બે લીટીમાં અરખી ભાષાનેા શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે સુર સન ૬૮૫ (ઈ. સ. ૧૨૮૪)માં ઈમાદ-ઉલ-હજ વ ઉલ-હરમઈન અફ્રોફ-ઉદ-દૂનિયા અખ઼લ કાશીમ ખીન અલી અલ અખરાહીએ આ મસ્જિદ બનાવી છે.’2 આ શિલાલેખના ખરાપણા માટે શંકા ઉપસ્થિત કરવામાં આવી છે, કારણ કે હી. ૭૪૫ પહેલાં આ વિભાગમાં સુર સનના ઉપયોગ થતા નહિ અને ઈ.સ. ૧૨૮૪માં જૂનાગઢમાં મુસ્લિમા આવેલા નહિ. વળી આ શિલાલેખ પણ મુખ્ય દ્વારની ભીંતમાં અનિયમિત રીતે તરાયો છે. આ પ્રદેશમાં કેટલીક મજા અને દરગાહેામાં પાછળથી શિલાલેખા મૂકાયા છે કે ઊતરાયા છે તેવા આ શિલાલેખ કદાચ હશે.
આ જગ્યા પણું ગુફ્રા ઉપર બાંધેલી છે. મુખ્ય ગુફા ૨૬ ફીટ લાંબી અને ૧૩ ફીટ પહાળી છે. તેની અંદર ૮ ફીટ લાંબી અને ૬ ફીટ પહેાળી એક નાની ગુફા છે. ગુફા ઉપરની ઈમારત આગળ ૩૦ ફ્રીટ લાંં અને ૧૬ ફીટ પહોળુ
પ્રાજેક્શન છે.
આ ઈમારત અશકના પૌત્ર સ`પ્રતિ રાજાએ બધાવેલુ" પારસનાથનું જૈન મંદિર હતું. એમ જૈના કહે છે અને હિંદુએ દુર્ગાનું મદિર હતું તેમ માને છે. આ મસ્જિથી ઉત્તર તરફ, ચૌલુકય યુગમાં મદિરના દ્વાર પાસે ખેડકા રાખવામાં આવતી તેવી ઘુમ્મટવાળી સુંદર બેઠક છે તથા તેમાંથી સાપાન માગે નીચે જવાય છે. ત્યાં માઈ ગઢેચીની દરગાહ છે.
આ દરગાહમાં જે ખર છે તે દીવાલની લગાલગ છે તથા મં મદિર ઉપર હિન્દુ પધ્ધતિના ઘુમ્મટ છે. માઈ ગઢેચીને મુસ્લિમા ઉપરાંત કૈટલાક હિન્દુ
1 સ્ટેટીસટીક્સ એકાઉન્ટ ઓફ જૂનાગઢ.
2 થેામસ પ્રિન્સેપ વેશ. ૨ પા. ૧૭૧,
આકી આલાજીલ સર્વે ઓફ ઇન્ડિયાના ઇ. સ. ૧૯૫૪-૧૯૫૫ના વાર્ષિ ક રિપોર્ટમાં પા, ૮૭ ઉપર કરેલી નોંધ પ્રમાણે આ લેખનું વર્ષ હીજરી ૬૮૫ એટલે ઇ. સ. ૧૨૮૬-૮૭ છે.