________________
૪૩૬ઃ જૂનાગઢ અને ગિરનાર
ગુફાઓમાં હોય છે તેવા છે. કેટલાક સ્તંભને શિરભાગ વિશાળ ઘંટ જેવો છે અને તેની ઉપર ઘેટાં બેસાડવામાં આવ્યાં છે. આ ગુફાઓને મુખ ભાગ ઉપરકેટની ગુફાઓના મુખ ભાગ લે છે. આ ગુફાની પહેળાઈ ૨૦ ફીટની અને ઊંચાઈ ૨૬ ફીટ છે. તેની આગળ ૫ ફીટ પહોળું દ્વાર છે.
આ ગુફાના મુખ્ય ભાગ ઉપરના અર્ધ સ્તંભેમાં અને મુખ ભાગના તારણ ઉપરના નાગદ (ડઢાઓ)માં સિંહની આકૃતિઓ છે તે ઉપરથી પુરાતત્વવિદો. માને છે કે એક કાળે અહિં બૌદધોનું ધર્મસ્થાન હશે.
આ ગુફામાંથી ક્ષત્રપાળને એક શિલાલેખ પણ મળી આવ્યું છે. તેમાં ચસ્ટન અને જયદામનનાં નામે વાંચી શકાયાં છે. આ લેખ ક્ષત્રપ જયદામનના પૌત્રને છે એટલે કદાચ પાછળથી ત્યાં મુકવામાં આવ્યો છે, પણ ગુફામાં સ્વસ્તિક, ભદ્રાસન, નંદીપાદ, મીનયુગલ, કલશ વગેરે આકૃતિઓ કંડારેલી છે. આવી આકૃતિઓ જેન મંદિરમાં હોય છે. વળી તેમાંથી મળી આવેલા એક
ટા શિલાલેખના ટુકડામાં કેવલજ્ઞાન શબ્દ વંચાય છે અને આ શબ્દ જેને દશનની તાંત્રિક શબ્દાવલિને છે તેથી આ ગુફા જેન હેવાનું કેટલાક વિદ્વાને માને છે. આ શિલાલેખ આ ગુફાને નથી અને પાછળથી કેઈએ મૂકે છે તેથી આ માન્યતા નિરાધાર છે એમ પણ બીજા વિદ્વાને કહે છે.
આ ગુફાઓ જુદે જુદે સમયે કેતરાણી હશે એમ પણ જણાય છે. પ્રથમની ગુફાઓ ઈસુની પ્રથમ સદીમાં અને બીજી ગુફાઓ બીજી કે ત્રીજી સદીમાં થઈ હશે.
આ ગુફાઓની પૂર્વ દિશામાં એક જગ્યા છે તે બાવા યારાની જગ્યા કહેવાય છે. અને કદાચ તેના સાંનિધ્યના કારણે આ ગુફાઓ બાવા યારાની ગુફાઓ કહેવાય છે. પરંતુ બાવા યારાના મઠ તરીકે ઓળખાતી જગ્યા સાથે ગુફાઓને વાસ્તવમાં કાંઈ સંબંધ નથી. બાવા યારા સામાન્ય રીતે સિધ્ધ પ્યારેરામજીનું સંક્ષિપ્ત નામ હતું તેમ માનવામાં આવે છે. તે કયારે થઈ ગયા તેના માટે કોઈ સ્પષ્ટ આધાર નથી, પરંતુ તે દીવાન અમરજીના (ઈ. સ. ૧૦૪-૧૭૮૪)ના સમકાલિન હેવાનું કહેવાય છે'
એમ કહેવાય છે કે તેઓ પૂર્વાશ્રમમાં મારવાડ પ્રદેશના પ્રખ્યાત લૂંટારા હતા અને કઈ કુકૃત્ય કર્યા પછી વૈરાગ્ય આવતાં બિહારીદાસ નામના સંત પાસે દીક્ષા લઈ જૂનાગઢમાં આવી વસ્યા. તેણે દિગંબરી નિરવાણ અખાડાની
1 સેરઠના સિધ્ધ-શ્રી કાલીદાસ મહારાજ