________________
પરિશિષ્ટ : ૪૩૩
ઉપરકોટનું સિંહ દ્વારા પશ્ચિમાભિમુખ છે. તેના તારણ ઉપરના નાગદત્તા (ડાઢા) એટલા બધા અંદર લઈ લેવામાં આવ્યા છે કે, તેની વચમાં એક ફૂટ જેટલી પણ જગ્યા રહેતી નથી તેથી તેરણ ત્રિકોણાકારનું દેખાય છે. ગુફાઓ
આગળ જતાં ખડકમાં કેરી કાઢેલી બે માળ વાળી ગુફાઓ છે. પહેલે માળે આશરે અગિયાર ચોરસ ફીટ એક કુક છે. તેની ફરતી ઓસરી છે અને તેની બાજુમાં છ સ્તંભ વાળ કક્ષ છે. ઓસરીમાં ચૈત્ય ગવાક્ષ છે. નીચેના માળે પણ તે પ્રમાણે છે. સ્તંભ ઉપર સી-પુરુષોની આકૃતિઓ અને કુંભીઓ ઉપર પુષ્પ કંડારેલાં છે. આ ગુફામાં આછા ભાસ્કમાં વેદિકા આકૃતિઓ છે.
ઓસરીમાંથી ગુફાની તળભૂમિ સ્પષ્ટ દેખાય છે અને તેની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ બાજુમાં ગોખે છે જેની નીચે એટલાઓ કેરી કાઢવામાં આવ્યા છે. ઈશાન ખૂણામાં એક નાની ગુફા છે જેની છતમાં હવા આવવા માટેનું છિદ્ર છે. નીચેના ભાગમાં એક બેઠક કંડારેલી છે. અને તેની દક્ષિણે ચાર સ્તંભે ઉપર નિર્ધારિત મંડપને આકાર છે. આ મંડપ ઉપર કોઈ અવલંબન ન હોવાથી સંપૂર્ણ પણે પ્રકાશિત છે. તેની પશ્ચિમે બે ગુફાઓ છે. જેમાં દક્ષિણ તરફથી ગુફા નાની છે અને ઉત્તર તરફની મોટી છે. ગુફાની ત્રણ દિશાઓમાં ઓટલાઓ છે. તેની ઉપર ગોખો છે. ગોખો ઉપર ચિત્યગવાક્ષ કોતરેલા છે તેમાં સ્ત્રીઓનાં અને સ્ત્રી-પુરુષોનાં જોડકાં છે.
આ ગુફાઓ સાધુઓને સાધના કરવા માટે કંડારેલી છે કે કોઈ અન્ય ઉપયોગ માટે છે તે કહેવું મુશ્કેલ છે ગુફામાં કંડારેલી આકૃતિઓ અને તેની રચના ઉપર વિદ્વાન એવું અનુમાન કરે છે કે આ ગુફા ઉપરકોટમાં રહેતા રાજપુના મનોરંજન માટે નિર્માણ કરેલું રંગભવન વા પ્રમદભવન હતું.
આ ગુફાઓ કયા વર્ષમાં કોતરવામાં આવી કે કયા સમયની છે તેને નિર્ણય થઇ શક નથીપુરાતત્વવિદે માને છે કે, તેનું મૂળ નિર્માણ ઈસુની પ્રથમ સદીમાં થયું હશે અને બેઠકો ગવાક્ષે ઈત્યાદિ સાતમી સદીમાં છેતરાયા હશે.
- ઈ. સ. ૬૪૦ માં હ્યુ-એન-સાંગે લખેલા વૃત્તાંતમાં જૂનાગઢના ખડકો ઉપર તેણે જોયેલા મઠનું જે વર્ણન છે તે આ ગુફાનું હશે તેમ વિદ્વાને માને છે.
1 શ્રી ટુભાઈ અત્રિ, શ્રી કાન્તિલાલ સોમપુરા વગેરે જ. ગિ-પપ