________________
ગિરનાર
૪૨૧
સમયમાં કલમી આંબાઓ વાવવા માટે ખાનગી વ્યક્તિઓને આપેલા પોટેમાં પુષ્કળ ઊંચી જાતના કલમી આંબાઓનું વન છે. તેનાથી થોડે દૂર લાલઢેરી નામનું અતિ સુંદર અને આકર્ષક સ્થાન છે. ત્યાં આજે રૂપાયતન નામની સંસ્થા તથા શ્રી રતુભાઈ અદાણીના માર્ગદર્શન નીચે એક હાઈસ્કૂલ ચાલે છે અહિ સુરમ્પ અને નૈસર્ગિક વાતાવરણમાં રહેતા અને વસતા છાત્ર વિદ્યાભ્યાસ કરે છે. દામોદર કુંડ
જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કંડ છે. તેને કાંઠે દામે દરરાયજીનું મંદિર છે. સ્કંદગુપ્તના સુબા ચક્રપાલિત, ઈ. સ. ૪૫૭-૪૫૮માં ચભૂત વિષ્ણુનું મંદિર બંધાવ્યાને પર્વતીય શિલાલેખમાં ઉલ્લેખ છે તે આ મંદિર હેવું જોઈએ તેમ વિદ્વાનો માને છે. કેઈ કાળમાં તે ખંડિત થયું હશે તેથી તેના શિખરો ભાગ તથા પૂર્વની દીવાલને જીર્ણોદ્ધાર થયો હોવાનું જણાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર શ્રી કૃષ્ણના પૌત્ર વજાથે બંધાવ્યું છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા અહિં દર્શને આવતા અને રાહ માંડલિકે જયારે તેની કસોટી કરી ત્યારે દામોદરરાયે અહિંથી જ હાર આપેલો એમ કહેવાય છે. ગિરનાર મહામમાં, આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વસે છે તેવી વાર્તા છે. એવી પણ પ્રચલિત માન્યતા છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપ; મેળે ઓગળી જાય છે અને તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે તે છતાં પણ શુદ્ધ રહે છે.
અહિં વિ. સં. ૧૪૭૩ ના વર્ષને એક શિલાલેખ છે, તેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કેઈ પરોપકારી સજજને, યાત્રાળુઓ માટે બંધાવેલ મઠ છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં જ છે. - ઈ. સ. ૧૮૨૬ માં દીવના વ્યાપારી સંઘજીએ વાગશ્વરી દરવાજાથી ગિરનાર સુધીને માર્ગ બંધાવ્યો અને એનરખ ઉપર પાજ તથા ઈ. સ. ૧૮૮૯ માં દીવાન હરિદાસ વિહારીદાસે તેનાં માતુશ્રી હેતાબાના સ્મરણાર્થ મંદિરમાં જવાને પુલ બંધાવ્યું.'
1 આ પુલ અને પાજ સુંદરજી શિવજીએ બંધાવ્યાં અથવા ધોરાજીના સુંદરજીએ બંધાવ્યાં
તેવી માન્યતાઓ છે પણ દીવાન રણછોડજી તારીખે સોરઠમાં સ્પષ્ટ લખે છે કે માર્ગ બંધાવનાર સંઘજી દિવાન હતો.