SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૩૦૨ નથી તેમ ભાવવિનાની કોઈપણ ક્રિયા-અનુષ્ઠાન ફળદાયી બનતા નથી. કોઈએ અલખ જગાવવાને ધૂણી પ્રગટાવવા મને જગાડી, કોઈએ દુઃખ ગર્ભિત વૈરાગી બની મને જાગૃત કરી. પણ કોઈએ મારી શુદ્ધ દશા જગાડવા મને જગાડી નહીં. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે आर्तध्यानारव्यमेकं , स्यान्मोहगर्भ तथाऽपरम। सज्झान सङ्घातं चेति, वैराग्यं त्रिविधं स्मृतम्।। વૈરાગ્ય ત્રણ પ્રકારના છે. (૧) આર્તધ્યાન નામક(૨) મોહગર્ભિત અને (૩) સજ્ઞાનયુક્ત વૈરાગ્ય. વસ્તુતઃ જ્યાં સુધી શુદ્ધજ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન આવે ત્યાં સુધી વાસ્તવિક લાભ થતો નથી. આ રીતે અધકચરા વૈરાગ્યથી કોઈએ મને જગાડી તો કોઈએ મને સુવરાવી દીધી. આવું બધું કરવા છતાં મારી પતિ વિરહની વેદના ઓછી ન થઈ. ચેતના, પોતાની અંતરવેદના સુમતિને કહીને હૃદય હળવું કરે છે. ચેતનાને એવું લાગે છે. કે પોતાની વાત સાંભળનાર આ જગતમાં કોઈ છે ખરું! તેથી કહે છે કે હે સખી! મેં કેટલાય વેશ ભજવ્યા તને વધારે શું કહું? મારી વાત સાંભળ ચેતના કે છે, कोई थापी कोई उथापी, कोई चलाती कोई राखी। રમનો મેં વોર્ડ ન વીડી, વોર્ડનો વોર્ડ નવિ પરવી.નાયડી...ફા મારી હાલત તો એવી થઈ છે કે સહુ કોઈ મને પોતાના મતાનુસાર થાપે-ઉથાપે છે. રામાનુજ અને વલ્લભાચાર્ય શુદ્ધદૈતવાદી હોવાને કારણે પુરુષ અને પ્રકૃતિમાં ભેદ સ્વીકારે છે. પુરુષ એટલે ઈશ્વર. ઈશ્વરને ઈચ્છા થવાથી અણુમાં પ્રકૃતિ ક્ષોભ થાય છે. એમ કહી બંને ભિન્ન છે. તેમ માને છે. ચેતનમાં ઇશ્વરનો અંશ છે માટે કોઇ સમયે પુરુષને અને કોઈ સમયે પ્રકૃતિને સ્વીકારે છે. ભેદમાર્ગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. પરંતુ મારું સત્ય સ્વરૂપ તો તેઓ સમજી શક્યા નથી. છતાં મારી સ્થાપના કરી. ત્યારે નાસ્તિક મતવાળા તો મારું ઉત્થાપન કરી નાખે છે. અદ્વૈત, શુદ્ધાદ્વૈત ને વિશિષ્ટાદ્વૈતવાદીઓએ મને દૂર ફેંકી દીધી. તેણે તો મારું
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy