________________
૪૨
ઇષ્ટોપદેશ
યોગીને સ્વદેહ પ્રત્યે પણ લક્ષ હોતું નથી
શ્લોક-૪૨
-
किमिदं कीदृशं कस्य कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति योगी योगपरायणः || વિચારે ના શું આ કેવું? કોનું ક્યાંથી વળી કહીં? યોગી તો યોગમાં લીન, દેહભાનેય જ્યાં નહીં.
-
અન્વયાર્થ – [ચોપરાયણ:] યોગપરાયણ [ોળ] યોગી, [ક્િ વ] આ શું છે? [ીવૃશ] કેવું છે? [ī] કોનું છે? [માાત્] શાથી છે? [વ] ક્યાં છે? [તિ વિશેષયન્] ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહીં કરતા થકા [સ્વવેદ્ અપિ] પોતાના શરીરને પણ [ન અનૈતિ] જાણતા નથી.
—
અર્થ ધ્યાનમાં એકાગ્ર થયેલા યોગી - જ્ઞાની, આ અનુભવમાં આવે છે તે તત્ત્વ શું છે? કેવું છે? કોનું છે? કેમ છે? ક્યાં છે? ઇત્યાદિ વિકલ્પોથી રહિત હોય છે. આ દશામાં તેમને પોતાના
♦
શરીરનું ભાન પણ રહેતું નથી, તો શરીરથી ભિન્ન અન્ય પદાર્થોની તો વાત જ શું કરવી?