________________
૨૨
ઇષ્ટોપદેશ
આત્માની ઉપાસના કેવી રીતે કરવી?
શ્લોક-૨૨
संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः I आत्मानमात्मवान् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ॥ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઇન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્મને.
અન્વયાર્થ
[વતસ:] મનની [પ્રત્યેન] એકાગ્રતાથી [રોગ્રામ[] ઇન્દ્રિયોના સમૂહને [સંયમ્ય] વશ કરી [માત્મવાન્] આત્મવાન પુરુષે [ઞાત્મનિ] પોતાનામાં [સ્થિત[] સ્થિત [ઞાત્માનન્] આત્માને [માત્મના ] આત્મા દ્વારા જ [ધ્યાયેત્] ધ્યાવવો જોઈએ.
-
અર્થ મનની એકાગ્રતા વડે ઇન્દ્રિયોને વશ કરીને, સ્વચ્છંદવૃત્તિનો નાશ કર્યો છે એવા સંયમીએ પોતાનામાં સ્થિત આત્માને પોતાના આત્મા વડે ધ્યાવવો, ચિંતવવો જોઈએ.