________________
વિચનામૃત-૨૪]
0
0
આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર-મનન કરવાં; એ જ આત્માર્થીનો ખોરાક છે.” ૨૪.
0
0
0
કા
(હવે) ૨૪. “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,.... બેનની ભાષા છે, (કે) સ્વાધ્યાય કરવો. બે - ચાર કલાક શાસ્ત્ર વાંચવા વખત લેવો. એકાદ કલાક, અર્ધા ફેલાક-વાંચી જાય એમાં કાંઈ પાર ન આવે. સંસાર માટે - પાપ માટે કેમ ચોવીસ કલાક કાઢે છે ? તો એમાંથી બે-ચાર કલાક આત્માના શાસ્ત્રના વાંચન (માટે) વખત લેવો જોઈએ. ભગવાને કહેલાં આગમ, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિ - વાણી – આગમનું વાંચન કરવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું મનન કરવું જોઈએ. એ જ આત્માર્થીનો ખોરાક છે.' આહા..હા...! એ વિના એને ગમે નહિ, ગોઠે નહિ. સમજાણું કાંઈ ? બે લીટીમાં આટલી વાત ભરી છે !! . “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,..” સ્વાધ્યાય એટલે આ શાસ્ત્ર (સ્વાધ્યાય). સ્વાધ્યાયમાં બે પ્રકાર છે. એક વાંચન, શ્રવણ, મનન એ સ્વાધ્યાય અને એક સ્વાધ્યાય એટલે આત્મા - સ્વનું અંદર મનન (અને) આનંદનો અનુભવ એ સ્વાધ્યાય (છે) - એ નિશ્ચય સ્વાધ્યાય (છે). આહા..હા...! અને શાસ્ત્ર વાંચન આદિ કરવું એ વ્યવહાર સ્વાધ્યાય (છે). પણ પહેલો વ્યવહાર સ્વાધ્યાય આવવો જોઈએ. વાંચન જોઈએ, વિચાર જોઈએ, મનન જોઈએ,_ચિંતવન જોઈએ. (માટે કહે છે કે સ્વાધ્યાય કરવો જોઈએ. આહા..હા..! વાંચણી કરવી, પૂછવું, પ્રશ્નોતર કરવાં, એનો વિચાર કરવો. એવું પહેલું એને આવવું જોઈએ, બાપુ! ભગવાનનાં કહેલાં આગમ - શાસ્ત્રને વિચારવાં જોઈએ. આહા..હા..!
અહીં તો ૬૪ની સાલથી શાસ્ત્રનું વાંચન છે. ૬૪ની સાલથી ! પિતાજીની