SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ધર્મનું ફળ ન મળે તો આ દુનિયા - જગત રહી શકે નહિ. ચારગતિ ને સિદ્ધપદ રહી શકે નહિ. આહા..હા...! જે જેણે વાવ્યું તેનું બીજ ઊગ્યા વિના રહે નહિ અને ઊગે નહિ તો તો એ બીજ જ વાવ્યું નથી અને ઊગે તો તે બીજ વાવ્યું અને એનું ફળ આવ્યું તો એનું ફળ આવીને એ જગત ટકી રહ્યું. એમ જગતમાં જેવાં પરિણામ કર્યા એવાં એનાં ફળ આવ્યાં તો જગત એમ ને એમ ટકી રહ્યું છે. આહા..હા...! “આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે. આ એક બોલમાં આટલો વખત ગયો ! આવી વાત છે. . પ્રભુ ! તું છો ને ! એ તો ત્રિકાળી દ્રવ્ય છે. હવે તારાં વર્તમાન પરિણામ થાય એ પરિણામનું ફળ ન આવે તો તો આ જગતમાં સ્વર્ગ, નરક જ ન રહે. અને મોક્ષનાં પરિણામના કર અને મોક્ષ ન આવે તો સિદ્ધપુર (- સિદ્ધ)ગતિ જ ન રહે. એ ચારગતિ ને સિદ્ધગતિ બધી નાશ થઈ જાય. આહા..હા...! આવી વાત છે પ્રભુ ! આ અનુભવની વાત છે. એ ૨૧મો બોલ થયો. છo o see ગુરુદેવને તીર્થકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; રસબસતી વાણી છે.” ૨૨. ૨૨મો બોલ વાંચવા જેવો છે. મુમુક્ષુ : રરમો પણ ભલે ને વંચાય. " પૂજ્ય ગુરુદેવશ્રી : ૨૨માં મારું નામ એમાં આવે છે માટે) એમાં અમારું કામ નહિ ! બેને તો પોતે કહ્યું હોય પણ મારા મુખથી એ વાત કહેવી શોભે નહિ. બેને તો પોતે પોતાના ભાવમાં આવ્યું હતું તે કહ્યું. એ વાત
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy