SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ0 [વચનામૃત-૧૭] એમ શુભ પરિણામ કરતાં કરતાં આત્મામાં શુદ્ધનું પરિણામ આવશે ! એ ત્રણકાળમાં નહિ આવે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! શુભ પરિણામ કરવામાં કાંઈ હાથ આવે નહિ. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે... આહા..હા...! ચેતન સ્વભાવ, જ્ઞાયકભાવ, નિત્ય અનુભવ ભાવ, અનુભવવાને લાયક એવો જે ત્રિકાળી ભાવ એને જો પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે....' (અર્થાતુ) ગમે તેવા પ્રસંગો આવે શરીરમાં રોગ આવે, પ્રતિકૂળ અપમાન આવે, દુનિયા, અનાદર કરે, છતાં જો આત્માને પકડ્યો હશે ....તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ . સમાધાન રહેશે,... આહા..હા...! પ્રતિકૂળ સંયોગ તો એક શેય છે, એ પણ વ્યવહારે શેય છે. નિશ્ચયથી શેય તો તેનું જ્ઞાન (જે) પોતાને થાય છે, તે જ્ઞાન તેનું શેય આત્માનું જ્ઞાન, પરને જાણવાનું થયું તે જ્ઞાન પોતાનું ષેય છે એ શેયને જાણનારું જ્ઞાન જ્ઞાન છે. આહા...! શું (કહે) છે ? “...મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે-તે પ્રસંગો આવે તે સમયે શાંતિ - સમાધાન રહેશે, જ્ઞાતા - દૃષ્ટાપણે રહી શકાશે. આહા..હા..હા..! અંતે કરવાનું તો આ છે. ગમે તે પ્રસંગમાં પણ જાણનાર - જ્ઞાતા-દષ્ટા રહે એ એને કરવાનું છે. એમાંથી એને ધર્મનું મૂળ પાકતાં કેવળજ્ઞાન થવાનું છે. બાકી બધી વાતું છે. શુભ પરિણામ ગમે તેટલાં કરે એના ફળ તરીકે કદાચિત સ્વર્ગ ને આ પૈસાધૂળ (આદિ) મળે પણ એ બધાં ત્યાંથી મરીને પાછાં નરક ને નિગોદમાં જવાનાં. આહા...હા...! ભવનાં મૂળ જેણે છે ક્યાં નથી, પાંદડાં તોડ્યાં પણ મૂળ તોડ્યું નથી, પાંદડાં તોડ્યાં ને મૂળ તોડ્યું નથી તો એ પાંદડાં પંદર દિએ પાંગરશે. પંદર દિવસે એ પાછાં આવશે. એમ જેણે ઉપરનાં શુભભાવનાં પાંદડાં તોડ્યાં છે પણ શુદ્ધ ભાવનું મૂળિયું પકડ્યું નથી. આહા...હા...! એને ચારગતિ પાંગરશે. શુભભાવમાં તો ગતિ - ચારગતિ પાંગરશે. ભલે કોઈ અશુભ (ભાવ) હોય તો નરક ને નિગોદ મળે, શુભ હોય તો આ મનુષ્ય ને સ્વર્ગ મળે પણ ગતિ - ચારગતિ (તેને મળશે). ભવ ભયથી ડર જોઈએ એમ કહ્યું છે. એને ચારગતિના ભવનો ડર જોઈએ. એને આ નિર્ભય આત્મા તરફનું લક્ષ જાય. આહ......!
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy