________________
૧૪
[વચનામૃત-૩] નથી પડતી કે, આ રાગથી હું જુદો છું, રાગથી હું જુદો છું. રાગથી જુદી એની દશા - પરિણતિ થયા જ કરે છે. એવો એનો સહજ સ્વભાવ છે. આહા..હાં... આવી ધર્મની વાત છે. આકરું પડે...! (બહારમાં પ્રવાહ બીજો ચાલે છે અને માર્ગ કંઈક બીજો છે. એટલે આકરું લાગે. . .. પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે.....' એમ ધર્મીને - જ્ઞાનીને તો આત્માનું જ્ઞાન થયું છે તેથી તે જ્ઞાનમાં રાગને હવે જુદો પાડવો પડતો નથી. જુદો પાડ્યો એ પાડ્યો. જુદું પરિણમન થયાં કરે છે. ધર્મીને રાગના વિકલ્પથી જુદો પાડતાં, પાડ્યા પછી તેને રાગથી જુદો પાડવાનો પ્રયત્ન ફરીને કરવો પડતો નથી. આહા...હા..હા..! ભેદ પડ્યો એ પડ્યો. ભેદ એમ ને એમ થયા - રમ્યા જ કરે છે. (એટલે કે રાગથી ભિન્ન જ્ઞાન ને આનંદમાં રમ્યા જ કરે છે. ભલે બોલે, હાલે, ચાલે પણ
એ ક્યિાથી ભિન્ન અંદર થયા કરે છે. આ...હા...હા...હા...! આવો માર્ગ છે). હજી વ્યવહારના ઠેકાણાં ન હોય એને આવી વાત કાને પડતાં (આકરી) લાગે.
....પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે. કે આત્મામાં એકવાર (આવું) પરિણમન (થયા પછી) વર્યા જ કરે છે. ધર્મીને રાગથી જુદો પડતાં, રાગથી જુદો પડતાં રાગથી પછી જુદો પાડવો પડતો નથી. આહા...! આનંદની ધારા, જ્ઞાનની ધારા ધર્મીને એકધારી સદાય વર્યા જ કરે છે. એને ધર્મ કહેવામાં આવે છે. આકરું છે ભાઈ ! આહા...હા...!
હજી સાંભળ્યું પણ ન હોય (એ) વિચાર અંદર કે દિ કરે ? અંદરમાં રુચિ ક્યારે કરે ? એને સાંભળવા ન મળે. ' (અહીં) કહે છે (જ્ઞાનીને) - આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે. એકધારું ! છે ને ? ....એકધારું પરિણમન વર્યા જ કરે છે.' આા . હ...!