SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૨૪૩ કોઈથી મરતો નથી, અમૃત - એ કોઈને મારતો નથી. કોઈથી તે મર્યો જાતો નથી, એવો એ અમૃતસાગર છે. આહા..હા..! એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું, જેને લગની લાગી, જેને સંસ્કાર પડ્યાં, જેના સ્મરણમાં વારંવાર જ્ઞાયક છું.... જ્ઞાયક છું... જ્ઞાયક છું.... એવા સંસ્કાર નાખ્યાં હોય, એને જ્ઞાયકનું ભાન થતાં... એમ કહે છે, જુઓ ! છે ? આહા..હા..! ..એવાં ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે.” “અબ હમ અમર ભયે ન મરેંગે - આત્મા અમર - નિત્ય છે, એ નિત્યનું જ્યાં. અંતર(માં) જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું (એ કહે છે) અબ હમ ન મરેંગે.' છે. એવા ભાવમાં તું સમાધિપૂર્વક...' (અર્થાતુ) શાંતિ...શાંતિ...શાંતિ... (પૂર્વક દેહ છોડીશ). એક જણ મરતો હતો, દેહ છૂટતો હતો (એ) જાણપણાવાળો હતો. (ત્યારે) એને બીજા સંભળાવતાં હતાં. (ત્યારે તેણે કહ્યું, ‘ભાઈ ! સંભળાવવું મૂકી દે ! હવે મને સંભળાવવું મૂકી દે. હું તો મારા ધ્યાનમાં છું.” સંભળાવવામાં પણ સામું લક્ષ (છે), (એ) રાગ છે, સાંભળવામાં પણ રાગ છે. એ રાગમાં રહેશે તો પણ એનું મૃત્યુ સત્ય (સમ્યફપ્રકારે). નહિ થાય. “રાગથી રહિત હું મારા ધ્યાનમાં છું. મને હવે કોઈ સંભળાવશો નહિ, મારું કાંઈ સાંભળવું નથી. મારે આ (ભારો) પ્રભુ અંદર છે. આહા.....! સમજાય છે ? આમ એક જણાને મૃત્યુ થયું હતું. * એ અહીં કહે છે ....(એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. - જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. જુઓ ! આ સરવાળો ! નિમિત્ત છે તે ઉપાદેય - આદરણીય નથી. શુભ રાગ પણ આદરણીય નથી, એક સમયની પર્યાય પણ આદરણીય નથી, આહા..હા..હા.. એક ત્રિકાળી શુદ્ધ આત્મા જ અંગીકાર કરવા લાયક છે. ક્યારે બેસે...? છે છેલ્લો શબ્દ ? “...એક શુદ્ધ આત્મા જ...' કોણ આત્મા ? જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે), અંદર શુદ્ધ સ્વરૂપ પ્રભુ (આત્મા બિરાજમાન છે. જેમ ડાબલામાં હીરો જુદો પડ્યો હોય એમ રાગ અને શરીરથી ભિન્ન અંદર ભગવાન હીરો - ચૈતન્ય હીરલો પડ્યો છે. એની જેણે દૃષ્ટિ અને સંસ્કાર કર્યો અને હવે મરણની બીક રહી નહિ. એને હવે ભવ કરવાનું રહ્યું નહિ. એ આત્માનું શરણ કરશે તો, એ વિના હજી તો અરિહંત ને સિદ્ધનું શરણ કરવા (લેવાં) જશે તો એ પણ) રાગ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy