________________
- - *-ક
માં
'
ન-
-
-
કરી
:
વચનામૃત રહસ્ય નહિ. તને ધર્મ નહિ થઈ શકે. પણ (જો) તને ક્યાંય ન ગમતું હોય તો.... આ એક શરત છે. આ એક શરત છે).
બેનની વાણી રાતે થોડી નીકળી ગઈ હતી, એમાં ૬૪ બાળ બ્રહ્મચારી બેન - દીકરીયું છે. પચાસ-પચાસ લાખની (પેદાશ હોય એવા ઘરની) દીકરીયું છે. બાળ બ્રહ્મચારી એવી ૬૪ દીકરીયું ત્યાં છે. મોટો પ્રચાર છે. એમાં આ બોલેલાં ને થોડું (બેનોએ) લખેલું ને એમનાં ભાઈએ બહાર પાડ્યું! - “હે જીવ !” આ પહેલી - શરૂઆતની વાત કરી છે). તને ક્યાંય ન ગમતું હોય તો...' આ શરત (છે). આત્મા સિવાય કોઈ ચીજમાં તને ગોઠતું ન હોય તો. આહા...હા...! આ શરત ! ..તો તારો ઉપયોગ પલટાવી નાખ...' ઝીણી વાત છે, પ્રભુ ! એટલે કે તારો જે અંદર ઉપયોગ છે - જે જાણવા - દેખવાનું કામ કરે છે એ અત્યારે) પરમાં કામ કરે છે. અનાદિથી રાગ ને દ્વેષ ને વિકલ્પમાં કામ કરે છે. એ સંસાર છે, દુઃખ છે, રઝળવાનાં પથ છે. પણ તને ત્યાં ન ગોઠતું હોય તો... આહા..હાહા...! તારો ઉપયોગ પલટાવી નાખ... એ જાણવા - દેખવાનો જે ભાવ છે એ પુરમાં ગયો છે - પરમાં વળી ગયેલો છે, તેમાં તને જો ન ગોઠતું હોય તો સૂક્ષ્મ ઉપયોગ કરીને અંતરમાં જા ! આહા...હા...!
જાણવા - દેખવાનો જે ઉપયોગ છે (તેને પલટાવી નાખ). આ શેની વાત ચાલે છે ? પર્યાયની ? (શ્રોતા : ઘરની) ઘરની ! આ ભગવાન આત્મા....! પ્રભુ ! શું કહીએ ? આ આખી દુનિયાથી જુદી જાતની વાત છે.
આત્મા સિવાય ક્યાંય તને રુચતું ન હોય તો.... એ શરત ! પુણ્ય પણ રુચે નહિ, પાપ પણ રૂચે નહિ, વિષય રુચે નહિ, ભોગ રુચે નહિ, આબરૂ રુચે નહિ તો....! આ શરત ! ઉપયોગને અંદર લઈ જા, ભાઈ ! આહા...હા...હે...!
જાણવા - દેખવાનું જે કાર્ય થઈ રહ્યું છે એ જાણવા - દેખવાનું કાર્ય પરનું કરે છે, (આમ) તો પોતામાં કરે છે, પણ પર તરફ વળેલું કામ કરે છે. અંતર આનંદનો નાથ પ્રભુ તેની તરફનું એનું વલણ એક સેકંડ પણ કોઈ દિ કર્યું નથી અને તેને કરવાની દરકાર અનંતકાળમાં કરી પણ નથી. તેથી કહે છે તારો ઉપયોગ - જાણવા-દેખવાનો ભાવ પલટાવી નાખ. આહા...હા...હા...! આ પહેલો બોલ આવ્યો છે.