________________
૧૫૬
[વચનામૃત-૪૧]
છે. આા...ય...!
(અહીંયા કહે છે), ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ.’ કેમ ? જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ.' જેટલું અંતરમાં કારણ આપે...! આહા..હા..! (અર્થાત્ શુદ્ધ ચિદાનંદ મૂર્તિમાં જેટલું કારણ - પુરુષાર્થ આપે એટલું કાર્ય થયા વિના રહે જ નહિ. આહા..! રાગનુ કારણ આપે તો દુઃખ થયા વિના રહે નહિ. સ્વભાવનું કારણ આપે તો આનંદ થયા વિના રહે નહિ. આહા..હા..! આવી જાત છે, બાપુ ! લોકોએ ધર્મ બહારથી કલ્પી, આ ક્રિયાકાંડમાં ધમાધમ ચલી અને એમાં ધર્મ માની બેઠા ! ધર્મ કાંઈક બીજી ચીજ રહી ગઈ !
માનવી જાતા
એ અહીં કહે છે, અંદર વેદના સહિત ભાવના હોય..... આહા..હા..! અંતર ભગવાન આનંદનું વેદન હોય, જેને રાગથી છૂટી અને અરાગ એવા ચૈતન્યના આનંદનું વેદન હોય, આહા..હા..! એનું જ્ઞાન તો કરે કે વસ્તુ આ છે એ અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે.' (શોધે) છૂટકો અંદર માર્ગ શોધે. અંદર રાગનું વેદન આવે (તેને) છોડીને અંતર (જ્ઞાન) વેદનમાં જાય. એને આ માર્ગ મળ્યા વિના રહે નહિ. આહા..હા..!
પુણ્ય ને પાપના બે ભાવ વચમાં આવે પણ તેના વેદનમાં ન રહેતાં, અંત૨ સુખના વેદનમાં જતાં, એને એનો માર્ગ મળ્યા વિના રહે નહિ. હા..હા..! ભાષા તદ્દન સાદી છે ! મૂળ તો સાધકની ભાષાની વાત છે. અનુભવની ભાષા છે.
અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે.' એક ફેરી કહ્યું હતું. નાની મરમાં દસ-બાર વર્ષની ઉમર હતી. આ તો એંસી વર્ષ પહેલાંની વાત છે. એક અમારા પાડોશી હતાં, અારી બાના મોસાળના કુટુંબી (હતાં). (એમના ગામના (હતાં) એટલે ‘મામા’ કહેતાં. (એકવાર પૂછ્યું) ‘તમે ન્હાવ છો ત્યારે શું બોલો છો ” એ (એમ) બોલતાં કે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે...., ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે, ‘અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે' એ સમજે નહિ કાંઈ....હોં ! પણ નાહીને લૂગડું પહેરે એટલે આમ બોલતાં જાય, મેં પૂછ્યું કે, તમે બોલો છો શું આ ? એ કહે, મને કાંઈ ખબર નથી
અહીં કહે છે કે, જેને આત્મજ્ઞાની લાગી છે, જેને આત્માના સ્વભાવની
-