________________
૧૪૬
વિચનામૃત-૩૮] છે નહિ. વિકલ્પ ને અલ્પતા છે નહિ (એમ કહ્યું) ! આહા..હા..! એવા પૂર્ણ સ્વભાવની અંતરમાં વિકલ્પ રહિત પ્રતીતિ થવી) તેને અહીંયા સાચી શ્રદ્ધા અને સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી સીઢી - શરૂઆત કહેવામાં આવે છે.
હા..હા..! બહાર રખડીને બહારથી કાંઈક માની બેસે. જ્યાં જાવું છે. ત્યાં જતો નથી ને બહારમાં ભટક્યા કરે છે. આહા..હા..!
.અને આનંદનું વદન થાય છે” વિકલ્પો બધાં છૂટી જાય તો ભગવાનમાં આનંદ છે, એનું વદન થાય છે. ત્યારે તેને ધર્મની દશા થાય છે. ત્યારે તે પ્રાણી ભવનો અંત કરીને મુક્તિને પામે છે. એ વિના ભવનો અંત આવતો નથી. આહા..હા..! એ ૩૭ થયો.
- “આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડ્યું જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.” ૩૮.
•
આત્માને મેળવવાનો જેને દૃઢ નિશ્ચય થયો છે.... પૈસો મેળવવાનો ને બાયડી મેળવવાનો ને આબરૂ મેળવવાનો, એ (વાત) નહિ. આહા..હા..! ‘આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ...'
આ..હા..હા..! શરીરમાં રોગ આવે ! જુઓને ! (એક ભાઈને ત્યાં ગયા ત્યાં) બિચારા રોવા મંડ્યા, આંખમાંથી આંસુ પડવાં લાગ્યાં. આજે એક ભાઈ આવ્યાં હતાં. આવા શરીર થઈ જાય. કામ કરી શકે નહિ, આત્માનું કરી શકે નહિ ને બહારનું કરી શકે નહિ. આહા..હા...! આવા ભવ પણ અનંત થયાં છે.