SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૧૩૭ \ “હું અબદ્ધ છું. જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, શાંતિ મળતી નથી, વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે.” ૩. L ૩૭મો (બોલ). હું અબદ્ધ છું, ‘જ્ઞાયક છું એ વિકલ્પો પણ હું દુઃખરૂપ લાગે છે..... આહા...હા...! સમયસારમાં ૧૪૨ (ગાથામાં કહ્યું ને ? કે જેને વ્યવહારનો - (એટલે કે, પર્યાયનો, રાગનો પક્ષ છે તેનો તો અમે નિષેધ કરતાં આવ્યાં છીએ. પણ નિશ્ચય સ્વરૂપ જે આત્મા જ્ઞાયક અને અબદ્ધ સ્વરૂપ છે. તેની અમે વાત કરીએ છીએ, પણ એના પક્ષમાં - વિકલ્પમાં જો ઊભો રહેશે તો એને પણ વસ્તુની પ્રાપ્તિ નહિ થાય, વ્યવહારનો તો અમે નિષેધ કરતાં આવ્યાં જ છીએ. ત્યાં ૧૪૨ (ગાથા)માં (આમ કહ્યું છે) પર્યાય ને રાગનો તો નિષેધ કરતાં આવ્યા છીએ. (કારણ કે એ દૃષ્ટિ કરવા લાયક નથી. પણ ત્રિકાળી જ્ઞાયકમાં દૃષ્ટિ કરતાં ‘હું અબદ્ધ ને જ્ઞાયક છું એવો જે વિકલ્પ નામ રાગ ઊઠે, તેથી શું ? શું સંસ્કૃત છે ? “તત્ વિમ્ - સંસ્કૃતમાં એમ છે. તત્ વિરુ - તેથી શું ? બાપુ! આ..હા ..! સવારમાં (સમયસારની) ૧૪મી ગાથામાં “અબદ્ધ’ આવ્યું ને ? એ એબદ્ધ છું, જ્ઞાયક છું એવો જે વિકલ્પ - રાગ છે, તેથી શું પ્રભુ ? એ અંદરમાં આવ્યો નથી. એ તો બહારમાં ને બહારમાં ભમ્યા કરે છે. આહા..હા..! જ કામ બહુ આકરું લાગે...! એમાં પરદેશમાં રળવામાં મૂંઝાઈ ગયા હોય, આહા... પ-૨૫ લાખની પેદાશ થાય..... થઈ રહ્યું.....! જાણે.... ઓહો..હો....! હું વધી ગયો ! રખડવામાં.... (વધ્યો છે. એક શબ્દ એવો કહ્યો હતો કે
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy