SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ [વચનામૃત-૩૨] ઝેર એને કંઈ કરી શકે નહિ. એમ સમકિતીને રાગ પકડતા રાગનું ઝેર ચડે નહિ. એ રાગને છોડવા જેવો માનીને છોડી દે છે. ઝીણી વાત છે, પ્રભુ દુનિયાની રીત અને (આ) માર્ગની રીત કોઈ જુદી જાત છે. એને માટે તો ઘણો સત્સમાગમું જોઈએ...શાસ્ત્ર વાંચન જોઈએ, મનન (ચિંતન) જોઈએ, એવા પ્રકાર હોય ત્યારે તો એને શું ચીજ છે ? એ એના ખ્યાલમાં આવે. પછી અનુભવ તો તે રાગથી રહિત થાય ત્યારે થાય. એ અહીં કહે છે કે (સમકિતીને રાગ આવે તે નબળાઈ છે, તેના પણ જ્ઞાતા રહે છે. એ ૩૧ (થયો). ક - - જે “સમ્યક્દષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના . બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય એવા ભાવે - બહાર ઊભા છે.” ૩૨. s ૩૨મો બોલ). “સમ્યગ્દષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી.” આહા..હા..! અંતર આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો અને સમ્યદૃષ્ટિ કહીએ, એને ધર્મની શરૂઆતવાળો કહીએ એને આત્માના) આનંદ સિવાય બહાર ક્યાંય ગોઠતું નથી. આહા..હા...! ૯૬ હજાર સ્ત્રી હોય તો પણ તેને તેમાં રસ નથી. રસ ઊડી ગયો છે, આ...હા..હા...! સર્પને પકડે તો છે પણ એ છોડવા માટે પકડે છે. એમ (સમકિતીને) રાગ આવે છે એ છોડવા માટે આવે છે, રાખવા માટે આવતો નથી. એ અહીં ૩૨ (બોલમાં)
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy