SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. [વચનામૃત-૩૦] વસ્તુનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટે છે). ભાઈ ! ઝીણી વાત છે, બાપા ! આહા..હા..! આ બહારની હોળી સળગી છે, એમાં આ વાત બેસવી....! આહા..હા...! આ મોટી કિંમતી ચીજ તો અહીં પડી છે !! એનો તને વિશ્વાસ નથી કે, જો હું આત્માની પ્રતીતિ કરું તો કેવળજ્ઞાન થયા વિના રહેશે જ નહિ, જો આત્માને (હું) અનુભવું અને આત્માને બરાબર વિશ્વાસથી પકડું તો સિદ્ધપદ (પ્રગટ) થયા વિના રહેશે નહિ, એવો વિશ્વાસ કરતો નથી. (બહારની ચીજનો) વિશ્વાસ કરે છે. આહા...! (માટે કહે છે કે) ...દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. બીજની વાવ્યાથી, બીજની શ્રદ્ધા કરવાથી ફળ ફળશે જ . એમ વિશ્વાસ છે. એમ આ ચૈતન્ય ભગવાન પુણ્ય ને પાપના રાગથી ભિન્ન છે) . એની શ્રદ્ધા કરવાથી, વિશ્વાસ કરવાથી, આમાંથી કેવળજ્ઞાન અને પરમાત્મ(પદ) થશે જ, એવો તેને વિશ્વાસ થયા વિના રહેતો નથી. પણ પકડે તો વિશ્વાસ થાય ને ? પકડ્યા વિના વિશ્વાસ કોનો કરવો ? જે વસ્તુ દેખાણી નથી, જે વસ્તુ જ્ઞાનમાં જણાણી નથી, એનો વિશ્વાસ શી રીતે આવે ? - આ તો અંદરમાં જ્ઞાનમાં જણાય, જ્ઞાનની પર્યાય સૂક્ષ્મ કરતાં, એ જ્ઞાનમાં - ‘આ ચીજ આનંદમયી અને શુદ્ધ છે,’ એમ જણાય - એને વિશ્વાસ આવે અને એનો વિશ્વાસ તે સમકિતદર્શન કહેવાય. અને એ સમકિતદર્શનમાંથી કેવળજ્ઞાન પ્રગટ્યા વિના રહે નહિ. આહા..હા..! દુકાનમાં ધંધાનાં ફળમાં એને વિશ્વાસ (છે) કે, આપણે દસ લાખનું કાપડ રાખીએ છીએ અને એમાંથી વરસોવરસ બે લાખની પેદાશ તો થાય જ છે. એનો એને વિશ્વાસ (છે) !! | મુમુક્ષુ : આપની વાણીથી અમને એમ થાય છે કે આ બધું મૂકી દેવું. પણ મૂકાતું નથી એનું શું કરવું ? અમને એમ લાગે છે કે અમારા આગલા ભવના કર્મ પણ ઘણાં હશે, એટલે આ પકડી શકતાં નથી. પૂજ્ય ગુરુદેવશ્રી : એ કાંઈ નહિ, એ છોડી દેવાનું એનું ફળ છોડી દેવાનું. પૂર્વનાં કર્મનું લક્ષ છોડી દેવું ! અત્યારે હું મહાન આત્મા છું.’ - એનું લક્ષ કરવું, બસ ! પૂર્વનાં કર્મ હતાં એ (વાત) મારી પાસે છે નહિ. હું તો એક આત્મા છું. આત્માને કર્મ અડતાં નથી. આત્મા કર્મને સ્પર્શ કરતો નથી.” આ..હા..હા...! સમયસારની ત્રીજી ગાથામાં પ્રભુએ એવું કીધું છે, સમયસાર ! આપણે *
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy