SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ વચનામૃત-૩૦] એવા કર્યા છે. (હવે એક વાર (અંદર આત્માને) જો અને વિકલ્પની જાળને તોડ તો એ જાળ ચોંટશે નહિ. પછી જાળ ચોંટશે નહિ. શેકેલા ચણા ઊગશે નહિ. આહા..! એ ૨૯ (પૂરો) થયો. : Nચ્છ ૦ ૦ ૦ ૦ ૦ “જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે આ બીજમાંથી વૃક્ષ ફલશે, તેમાંથી ડાળાં પાંદડાં-ફળ વગેરે આવશે, પછી તેનો વિચાર આવતો નથી; તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે; દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય, પણ દ્રવ્યસ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે.” ૩૦. S Nચ્છ ૦ ૦ ૦ ૩૦ (મો બોલ). જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી... શું કહે છે ? બીજ...બીજ વાવે એમાં પ્રગટ અત્યારે કાંઈ દેખાતું નથી. છતાં વિશ્વાસ છે કે “આ બીજમાંથી વૃક્ષ ફાલશે,'-' બીજ વાવ્યું એનું વૃક્ષ થશે. તેમાંથી ડાળાં-પાંદડાં-ફળ વગેરે આવશે,’—.' એમાંથી તેના ફળ પણ થશે. ઘઉનો દાણો વાવ્યો તો ઘઉનું ફળ પણ થશે. એક ઘઉંનાં ઘણા ઘઉં થશે. એક દાણો વાવ્યો એના ઘણા થશે. એમ એનો એને વિશ્વાસ છે. આહા....! એક બાજરાનો દાણો વાવ્યો હતો અને વિશ્વાસ છે કે આમાંથી કૂંડું થાશે એમાં સેંકડો બાજરો પાકશે. એવો એને એમાં વિશ્વાસ છે. આ..હા..હા..! આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ફળ વગેરે આવશે. . પછી તેને વિચાર આવતો નથી.......આહા..હા...! પછી એને વિશ્વાસ આવી ગયો અને ફળ ફળ્યું પછી
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy