SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરનો વારસદાર કોણ? (૪૫ થતો કર્મબંધસ્વતંત્ર સમજવો જોઈએ. પ્રત્યેક દ્રવ્યમાં ભાવવતી શક્તિ છે. એક દ્રવ્યને પોતાના પરિણમન કરવા માટે અન્યદ્રવ્યની કોઈ અપેક્ષા નથી. જો એક દ્રવ્યને અન્યદ્રવ્યની અપેક્ષા હોય તો સર્વદ્રવ્યના સમુહરૂપ જગતને પણ પરાધીન માનવું પડશે. કર્તાબુદ્ધિને છોડવા માટે પરદ્રવ્યને છોડવાની જરૂર જ નથી, કારણકે પરદ્રવ્ય સ્વયં છૂટું જ છે. બસ, મિથ્યાત્વતથા રાગદ્વેષરૂપી પરભાવને છોડીને સુખી થઈ શકાય છે. પણ ક્યારે? જ્યારે પરભાવને છોડે ત્યારે. કર્તુત્વબુદ્ધિ જીવના દુઃખનું મુખ્ય કારણ હોવાથી આચાર્ય કુંદકુંદદેવે પણ સમયસારમાં સર્વાધિક ૭૬ ગાથાર્તાકર્મઅધિકારમાં લખી છે. જે જીવનેદ્રવ્યની સ્વતંત્રતાનું જ્ઞાન નથી તેને કત્વબુદ્ધિનું નિરંતર પોષણ થઈ રહ્યું છે. હું પરદ્રવ્યનું કરું છું એ ભાવ કરતા હું પરદ્રવ્યનું કંઈ કરી શકું છું. એ ભાવ વધું ખતરનાક છે. તેમાં પણ જ્યારે કોઈ કાર્ય જીવની પોતાની ઇચ્છાનુસાર ન થાય ત્યારે તે કાર્યને ભવિતવ્યતા પર ઢોળી દે છે. તેના સંદર્ભમાં પડિંત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં કહ્યું છે કે વળી એ આશ્રવભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે. તેનો ઉદય થતાં જ્ઞાન-દર્શનનું તીનપણું થવું, મિથ્યાત્વ-કષાયરૂપ પરિણમન થવું, ઈચ્છાનુસાર ન બનવું, સુખ-દુ:ખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિજાતિ-શરીરાદિનીપજવાં અને નીચું-ઊંચુ કુળ પામવું થાય છે, એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતા નથી કારણકે સૂક્ષ્મ છે તેથી તેને સુઝતા નથી અને પોતાને એ કાર્યોનો કર્તા દેખાતો નથી એટલે એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે.” જ્યારે રોટલી બનાવતી વખતે દસમાંથી નવરોટીલી સારી બને, તો એમ કહે છે કે, “જુઓ મેં કેટલી સારી રોટલી બનાવી,” ત્યારે કોઈ એમ પુછે કે, “તેં
SR No.007154
Book TitleMahavirno Varasdar Kon
Original Sutra AuthorN/A
AuthorFulchandra Shastri
PublisherShyam Samadhi Ashram
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy