________________
મહાવીરનો વારસદાર કોણ?
(૧૯ પતિ-પત્નીએ પોલીસને કહ્યું અમારી પાસે માત્ર ૫૦૦ ડોલર જ છે. તો પણ પોલીસે ૫૦૦ ડોલરનો દંડ લીધો અને તેની રસીદ પણ આપી. આ બાજુ પતિપત્ની બંને સિંગાપુર પોલીસના વર્તનથી ગુસ્સામાં હતા. જ્યારે પોલીસે તેમને રસીદ આપી તો ગુસ્સે થયેલા પતિએ તે રસીદ જોઈતી નથી; એમ કહીને રસ્તા પર ફેંકી દીધી એટલે પોલીસે કહ્યું કે રસીદને રસ્તા પર ફેંકવાના કારણે હવે બીજા ૫૦૦ ડોલરનો દંડ ભરવો પડશે. ત્યારે તો મામલો વધું બગડ્યો. આ બંને જણે કહ્યું કે હવે અમારી પાસે એક ડોલર પણ નથી. ત્યારે અંતે પોલીસે તેમને સિંગાપુરમાં છ મહિના માટે સફાઈ કરવાની સજા આપી. તેના પરથી સમજી શકાય કે જેમની પાસે સિંગાપુરમાં પાંચ દિવસ રહેવા માટે પુરતા પૈસા ન હતા, તેઓએ છ મહિના સુધી, વગર પૈસે સિંગાપુરમાં રહેવાનું તથા જમવાનું મળ્યું. જો પુણ્યનો ઉદય હોય તો ઈચ્છા ન કરવા છતાં અનુકૂળતા મળે છે. જો કે તેમની અનુકૂળતામાં પણ પ્રતિકૂળતા છુપાયેલી છે. જ્યારે છ મહિના સુધી સિંગાપુરમાં સજા ભોગવીને ભારત પાછા આવ્યા, તો પતિને ખબર પડી કે તેના સાહેબે તેને નોકરી પરથી કાઢી મુક્યો છે. - આમ પુણ્ય પછી પાપ અને પાપ પછી પુણ્યનો ઉદય થવો એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ ઉદયને આંખેથી દેખી શકતા નહિ હોવાથી, અજ્ઞાની પોતાને જ મહાન માને છે અને કર્મોદયના સ્વરૂપને ઓળખતો નથી, તેથી કર્મોદયના સ્વરૂપ પર વિશ્વાસ બેસવોતો બહુ દૂરની વાત છે.
જો પોતાના ફલેટની એક બારી પર સમયસાર શાસ્ત્ર તથા બીજી બારી પર દસ હજાર રૂપિયા પડેલા હોય તો તમે કોને બચાવશો? એવો પ્રશ્ન મેં કોઈ વ્યક્તિને પુછયો. તો તે વ્યક્તિએ કહ્યું કે, “હું દસ હજાર રૂપિયા બચાવીશ, કારણકે જે દસ હજાર રૂપિયા બચશે તો તેના બદલામાં સો નવા સમયસાર શાસ્ત્ર ખરીદી શકાશે.” પરંતુ તે વ્યક્તિને એવો વિચાર આવતો નથી કે એક સમયસારને બચાવીશ, તો તેના બદલામાં બંધાયેલા પુણ્યના ફળમાં એક લાખ રૂપિયા પણ મળી શકે છે. પરંતુ હકીકત એ છે કે તેને દસ હજાર રૂપિયાથી સો સમયસાર ખરીદી શકાય તે આંખેથી દેખાય છે પરંતુ એક સમયસારને નીચે પડતું બચાવવાના ફળમાં એક લાખ રૂપિયા મળે, એ હકીકત આંખ વડે પ્રત્યક્ષ દેખાતી