________________
૩૮
પંચાસ્તિકાય
पयडिद्विदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को । उड्ढे गच्छदि सेसा विदिसावज्ज गर्दि जंति ॥७३॥
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधः सर्वतो मुक्तः । ऊवं गच्छति शेषा विदिग्वज्जी गतिं यांति ॥७३॥
અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે.
વિવેચન : બંધમાં ચાર વસ્તુ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ ચારેથી મુક્ત થાય ત્યારે જીવ સીધી ગતિથી ઊર્ધ્વગમન કરે છે. બીજે દેહ ધારણ કરવા જાય ત્યારે પણ જીવ ગગનશ્રેણી અનુસાર ઉપર નીચે અને ચાર દિશામાં ગમન કરે છે. खंधा य खधदेसा खंधपदेसा य होति परमाणू । इदि ते चदुवियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥७४॥
स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः । इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।।७४॥
અર્થ : અંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણ.
વિવેચન : હવે પુદ્ગલદ્રવ્યનું વિશેષ વર્ણન કરે છે. તેના ચાર ભેદ છે. खधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसोत्ति । अद्धद्धं च पदेशो परमाणू चेव अविभागी ॥७५॥