________________
પs
• દ્રષ્ટિનો વિષય અન્વયાર્થ:- (ચેન નિનવરવૃષમે) જે જિનવર વૃષભભગવાને (નીવમ્ મનવમ્ દ્રવ્યમ) જીવ અને અજીવ દ્રવ્યનું (નિર્વિષ્ટમ) વર્ણન કર્યું છે, (કેવેન્દ્રવૃન્દ્રવન્ય) દેવેન્દ્રોના સમૂહથી વંદનીય (તમે) તે પ્રથમ તીર્થકર વૃષભદેવને હું (શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) (સર્વ) હંમેશા (શિરસ) મસ્તક નમાવીને (વન્ટે) નમસ્કાર કરું છું.'
આ ગાથામાં જીવ અને અજીવના રૂપમાં બે દ્રવ્યોના નામ કહ્યાં છે, પરંતુ આ બન્ને કથનોમાં પરસ્પર કોઈ વિરોધ નથી; કારણ કે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ - આ પાંચેય દ્રવ્યો અજીવ જ છે.
દ્રવ્યોમાં તો છ દ્રવ્યોને બે દ્રવ્યોના રૂપમાં કહી શકાય છે, પરંતુ તત્ત્વવ્યવસ્થામાં સાત તત્ત્વોને જીવ-અજીવ એ બે તત્ત્વોના રૂપમાં કહી શકાતા નથી:-
શ્રી તત્વાર્થસૂત્રમાં આચાર્ય ઉમાસ્વામીએ સાત તત્ત્વોમાં જીવ, અજીવ પછી આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષનો જુદો ઉલ્લેખ કર્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આસ્રવાદિ તત્વ અજીવમાં સામેલ નથી. વસ્તુવ્યવસ્થામાં જ્યાં દ્રવ્યોમાં પુગલાદિ પાંચ દ્રવ્યોને અજીવમાં સામેલ કર્યા છે, ત્યાં જ તત્ત્વવ્યવસ્થામાં આસવાદિ તત્ત્વોને અજીવમાં સામેલ કરી શકાતા નથી. આનું કારણ એ છે કે દ્રવ્યોમાં જે પુગલ દ્રવ્ય છે, તે અજીવ જ છે; તેથી તેને અવમાં સામેલ કરી શકાય છે, પરંતુ આસવ અજીવ જ નથી, તેમાં દ્રવ્યાસ્રવ પુદ્ગલરૂપ હોવાથી અજીવ છે અને ભાવાસવ જીવનું પરિણામ છે.
તત્ત્વાર્થસૂત્રમાં છઠ્ઠા અધ્યાયમાં ‘નવાનવાધિવાળું ૨' સૂત્ર છે. આ સૂત્રમાં એમ કહ્યું છે કે આસવના બે અધિકરણ છે – જીવ અને
૧ દ્રવ્યસંગ્રહ ગાથા ૧