SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્વાનુભૂતિ ઓળંગીને થતું અતીન્દ્રિય જ્ઞાન આપણને બરાબર સમજાવે છે. આ અતીન્દ્રિય જ્ઞાનના આવા પુરાવાઓ પણ સ્વ અને પરને, જડ અને ચેતનને ભેદ સ્થાપીને અન્યત્વ ભાવનાની જ પુષ્ટિ કરે છે. સર્વ ધર્મ, તત્ત્વજ્ઞાન ને નીતિને હેતુ સંસારના સકળ પદાર્થોમાંથી આપણું સ્વત્વને જુદું તારવી લેવાનો છે-“પરના વ્યુત્સર્ગને સ્વની અનુભૂતિનો છે. બીજા શબ્દોમાં કહીએ તે અન્યત્વભાવનાની પ્રતીતિ કરાવવાને છે. વિશ્વની ઉત્ક્રાંતિ–cosmic evolution જે ચાલી રહ્યું છે તે આ અન્યત્વભાવનાના ખભાને ટેકે લઈને જ, નહિ તે આખું વિશ્વ સર્વથા નીચે પછડાત. આથી સમગ્ર વિશ્વને ટકાવીને ઉપર ચઢાવવાનું ઋણ અન્યત્વભાવના પ્રત્યે આપણે અનુભવવું રહ્યું.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy