SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક એટલે રાગાદિ અને આત્મા તે શુદ્ધ ચેતન દ્રવ્ય, તેમાંથી વિભ્રાંતિ એટલે બ્રાન્તિનું દૂર થવું, જતું રહેવું, કે જેને થયું છે, તે અંતરાત્મા. જે ચિત્તને ચિત્ત રૂપે, દેશને દોષને રૂપે આત્માને આત્મારૂપે જાણે છે, તે અંતરાત્મા છે, અર્થાત્ છે ચિત્ત અને દેમાં “આત્મા માનવા રૂ૫ ભ્રાન્તિ જતી રહી છે તે અંતરાત્મા. પરમાત્મા તે કેવા છે, જે સર્વ કર્મ મળ રહિત છે, તે પરમાત્મા છે. તેને ગુણે કહે છે. ૫ નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિકત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરાત્મા, પરમાત્મા, ઈશ્વર, જિન, નિર્મળ એટલે કર્મમળ રહિત છે. કેવળ એટલે શરીરાદિ સંબંધ રહિત છે. શુદ્ધ એટલે દ્રવ્યકર્મ અને ભાવકર્મરહિત પરમ વિશુદ્ધ છે. વિવિક્ત એટલે શરીર કમદિના સ્પર્શથી રહિત. પ્રભુ એટલે ઇંદ્રાદિકના સ્વામી છે. અવ્યય એટલે પિતાના સ્વરૂપથી નાશ નહિ થનારા એવા, પરમેષ્ઠી એટલે ઈંદ્રાદિથી વંદનિક તે, જિન એટલે રાગદ્વેષાદિ જીતનારા, પરમાત્મા એટલે સંસારી જીથી જેને ઉકૃષ્ટ આત્મા છે, આદિ અનેક નામધારક પરમાત્મા છે. ૬. ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પદાર્થના ગ્રહણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાનથી પરાક્ષુખ (વંચિત) થઈ એમ જ જાણે છે કે આ દેહ એ જ આત્મા છે અને શરીર તે જ હું છું, એવી તેને બુદ્ધિ થાય છે, તેથી તે શરીરને જ આત્મા માને છે. ૭. નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલે તે પિતાને
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy