SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઈબ્દોપદેશ વળી મનુષ્ય જ્યારે નીરોગી હોય, પીડાતું ન હોય ત્યારે જ તેને કામગમાં આનંદ આવે છે પણ પેટમાં જ્યારે અત્યંત ભૂખ લાગી હોય ત્યારે તેનું ચિત્ત કામમાં લાગી શકતું નથી. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ઈન્દ્રિયેથી ઉત્પન્ન થતું સુખ એ ફક્ત વાસના જ છે. ત્યારે આત્માનું સ્વભાવિક સુખ વાસ્તવિક સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ એ વાસનામય ન હેત તે તે એક વખત સુખમય અને બીજી વખત દુઃખમય ન લાગત. વાસનાથી જ સુખદુઃખને ભાવ ઉત્પન્ન થાય છે. એટલે સાચી રીતે સુખદુઃખ એ દેહધારીઓની કલ્પના માત્ર શુદ્ધ બુદ્ધિ છે : છે. અને શકતું નથી. શિષ્યની શંકા –એ સુખદુઃખ વાસના માત્ર છે તે લેકેને તે તેવા રૂપમાં જ કેમ દેખાતા નથી? ત્યારે આચાર્ય સમજાવે છે કે – નશે ચડવાથી મનુષ્ય પિતાની શુદ્ધ બુદ્ધિ અને પિતાને પ્રભાવ ઈ બેસે છે. અને વસ્તુને યથાર્થ રૂપે ઓળખી શકતું નથી. તે જ પ્રકારે જેનું જ્ઞાન મેહથી આચ્છાદિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, જેના જ્ઞાન ઉપર મેહનું આવરણ આવી ગયું છે, તે મનુષ્ય વાસ્તવિક સ્વભાવને જાણી, સમજી શકતા નથી. મેહયુક્ત જીવને તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાનની વાતે રચતી નથી. એટલે તે સમજી પણ શકતું નથી. ૭. એ જ વાત વધારે સ્પષ્ટ રીતે આગળ સમજાવેલ છે. સ્વ અને પરના વિવેકજ્ઞાનથી રહિત જીવાત્મા શરીર આદિ પર પદાર્થોને આત્મા અથવા આત્માનું સ્વરૂપ જ માને
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy