SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિ સમુચ્ચય ૧૧૧ ઉપશમ કે ક્ષપકશ્રેણી રૂપ પર્વત પર આરોહણ કરે છે, તે જ રીતે અહીં પરિણામની ધારાએ આત્મા પંડિત વીર્યના ઉલ્લાસથી ગુણશ્રેણી ઉપર આરોહણ કરે છે, તેમજ નિરાચારપદ પ્રાપ્ત થવાથી આ ગની પ્રવૃત્તિ તથા કિયા વગેરે ભવગતિથી ન્યારી હોય છે. ૧૧૩. આચાર નથી તે ભિક્ષાટન વગેરે આચાર કેમ સંભવે? રત્નાદિશિક્ષાદડન્યા યથાદક્તનિ જને તથાચાર ક્રિયાપ્યસ્ય સૈવાન્યા ફલ ભેદતઃ ૧૧૪ વિવેચન–-મિત્રાદિ દેષ્ટિમાં જે જે આહારાદિ અર્થે કિયા કરવામાં આવે છે તેમાં અમુક અંશે આસક્ત ભાવ રહેતું હતું. પરંતુ પરાદષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે બાહ્ય ક્રિયાને દેખાવ તે એક સામાન્ય સાધુના જેવો દેખાય પણ ફળમાં ઘણું અંતર હોય છે. કારણ કે પર દષ્ટિવાળા ગી મહાત્માનું વર્તન અનાસક્ત ભાવવાળું બની જાય છે. આત્મજ્ઞાનપૂર્વક કિયા કરનાર અને ગતાનગતિક ક્રિયા કરનારના ભાવમાં મેટું અંતર હોવાથી ફળમાં પણ ભેદ પડે છે. એ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે–રત્ન તથા અશ્વની પરીક્ષામાં નિપુણ એવો મનુષ્ય અને બીજે તે નહિ જાણનાર મનુષ્ય એ બને રત્ન તથા અશ્વને જુએ છે તે પણ તેના ગુણ અને દોષને જાણનાર તેને જુદા જ રૂપમાં નિહાળે છે. અને તેનું મૂલ્ય પણ જુદી જુદી રીતે કે છે. તેવી રીતે પ્રતિક્રમણાદિ આચાર પર દષ્ટિવાળાને હોતા નથી, તે પણ આહારાદિ ભિક્ષાને આચાર તે હોય છે. છતાં આ આચાર ઘણે સુંદર હોય છે, બાહ્ય દષ્ટિવાળા તેની કિંમત
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy