SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ગદષ્ટિ સમુચ્ચય પ્રશાંત વાહિતા કહે છે, બૌદ્ધો વિભાગ પરિક્ષય કહે છે, શિવ-શિવવત્મ કહે છે અને પતંજલી વગેરે ભેગીઓ ધ્રુવમાર્ગ કહે છે. એ અસંગાનુકાન કિયામાં મહાઉત્કૃષ્ટ આત્મદશા વર્તતી હોય છે. પ્રભા દષ્ટિમાં આત્મન્નિતિમાં ઘણે વિકાસ થાય છે. અહીં સાધ્ય જે મક્ષ તે તદ્દન સ્પષ્ટ રૂપે સમીપમાં દેખાય છે. ત્યાં પહોંચવા માટે એટલી તીવ્ર ભાવના થાય છે કે તેના સુખ પાસે સ્વર્ગના કે અનુત્તરવાસી દેના સુખ તુચ્છ ભાસે છે, અસાર લાગે છે. આ ભાવનાને પ્રભાવે પરમપદ પ્રાપ્ત થાય છે. ૧૧૦. એતન્મસાધયત્યાસુ યદ્યોગ્યસ્યાં વ્યવસ્થિતઃ | એતત્પદાવહેવ તત્તવૈતદ્ધિતાં મતા ૧૧૧ વિવેચન–પ્રમાદષ્ટિ બહુ ઉન્નત દશા પ્રાપ્ત કરેલ અપ્રમત્તયતિને જ હોઈ શકે અને એ અપ્રમત્તયતિ શીધ્ર જ સાધ્ય–મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, એ સ્થિતિ પ્રાપ્ત કરાવનાર અસંગાનુષ્ઠાન છે. પરમપદને પણ આ જ અનુષ્ઠાન મેળવી આપે છે. એને અસંગાનુષ્ઠાન વેગ પ્રભાષ્ટિવંત જ કરી શકે છે. એમ આ અસંગ અનુષ્ઠાનને જાણનારા જ્ઞાની અને જણાવે છે. સારાંશ એ છે કે આટલી હદે જ્યારે જીવાત્મા આગળ વધે છે ત્યારે પુગલિક ભાવ તરફ તેની વૃત્તિ તદ્દન નીકળી જાય છે, અને પરમપદ પ્રાપ્ત કરવાની જ તાલાવેલી લાગેલી હોય છે, એ કારણે અસંગાનુષ્ઠાન કરે છે અને તેના પ્રભાવે પરમપદને મેળવી સત્ ચિદાનંદ સ્વરૂપ આત્મામાં પરમશાંતિને અનુભવ કરતાં મુક્ત બની જાય છે. ૧૧૧. ઈનિ શ્રી પ્રભાષ્ટિ સમાપ્તમ
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy