________________
૧૩૨
દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્ પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ “દ્રવ્યાનુયોગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગદષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષે તેના મુખ્ય પાત્ર છે.
કેઈ મહપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરૂષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.
(૮૭૫)
મુંબઈ, જેઠ, ૧૯૫૫
પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ
ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ૧ જુઓ “શ્રીમદ્ રાચંદ્ર આંક ૭૬૬