________________
સ્વાધ્યાય સંચય : ૩૯૯
પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક —પહેલું પથ્ય અસત્ય ન વવું, નિદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. -જીવ સકલ આતમ સમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ; પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. —દંભ દર્પ કે દુર્જનતાથી અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. —શકિત છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; સ્વાર્થતણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. —નામતણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ-નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.
–નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ; તો ‘હરિદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ.
•*.
૧
૨
૫
5
૯
૧૦