________________
સ્વાધ્યાય સંચય : ૩૮૩
તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલક મેં જાવે. અવ૦ ૨ તન છૂટે ધન કૌન કામ કો, કાયક્ કૃપણ કહાવે. અવ૦ ૩ જાકે દિલ મેં સાચ બસત હે, તાકૂ જૂઠ ન ભાવે. અવ - ૪ આનંદઘન પ્રભુ ચલત પંથ મેં, સમરી સમરી ગુણ ગાવે. અવ૦ ૫
—
અવધૂ કયા માર્ગે ગુનાહીના અવધૂ ક્યા માર્ગે ગુનાહીના, વે ગુનગનન પ્રવીના. ...અવધૂ૦ ગાય ન જાનૂ બજાય ન જાનું, ન જાનૂ સુરભેવા; રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદસેવા. ...અવધૂ૦ ૧ વેદ ન જાનેં કિતાબ ન જાનું, જાનૂ ન લક્ષણ છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું, કવિફંદા. ...અવધૂ ૦ ૨ જાપ ન જાનેં જવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાનું ભગતી ન જાનું, જાનું ન સીરા તાતા...અવધૂ ૦ ૩ ગ્યાન ન જાનું વિગ્યાન ન જાનું, ન જાનૂ ભજનામાં (પદનામા); આનંદઘન પ્રભુ કે ઘરદ્વારે, રટન કરૂં ગુણધામા. ...અવધૂ૦ ૪
અબ ચલો સંગ હમારે અબ ચલો સંગ હમારે કાયા, તો હે બહુત જતન કરી રાખી કાયા. તો યે કારણ મેં જીવ સંહારે, બોલે જૂઠ અપારે, ચોરી કરી પરનારી સેવી, જૂઠ પરિગ્રહ ધારે.