________________
સ્વાધ્યાય સંચય : ૭
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ગુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. જોગ નથી સત્સંગનો, નથી સત્સંવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન, નયન, યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ
૫
૭
૯
ગૃહાદિક માંહી. ૧૧