SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ : સ્વાધ્યાય સંચય આવાગમનનું કારણ શું છે? તેમ જ તેનું વારણ શું છે? તારણ થઈ કોણ બતાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૨ જન્મ જરા ને મૃત્યુ હરવા, શ્રી સહજાત્મ સ્વરૂપે ઠરવા; કોણ સહાયક થાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૩ તુમ વિન આત્મભ્રાંતિ કોણ ભાંગે? શુદ્ધ જ્યોતિ બાહ્યાંતર જાગે; કોણ જ્ઞાનદીપ પ્રગટાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૪ ઉર ધરવી સદ્ગુરુની શિક્ષા, એ જ આત્માને ઉત્તમ દીક્ષા; ભિક્ષા રત્નત્રય પાવે રે, શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૫ ગુરુ રાજ આનંદધામે પધાર્યા, ભવિ સર્વ હૈયા તણી હામ હાર્યા; પ્રભુ એક આધાર તું પ્રાણપ્યારો, સહું કેમ વિરહો? થયો કાં તું ન્યારો? ૧ મોહરાજા તણું રાજ્ય વર્તે, અવિદ્યા' કળિકાળ રાત્રિ પ્રવર્તે; આગ્રહી ગચ્છનિદ્રા વિષે જ્યાં, વળી પ્રભુ, ધર્મ નિગ્રંથ સુષુપ્ત છે ત્યાં. ૨ અહા! દિવ્ય જ્યોતિ, પ્રભુ જ્ઞાનમૂર્તિ, નિવારી ઘણા ભવ્યની તે સુષુપ્તિ; મિથ્યા તમિસ્ત્રાન્તકારી, મહા હણી મોહ સહુ કેમ વિરો? રવિ તું પ્રતાપી. ૩ લોક ત્રિવિધ તાપે, પ્રભુ જ્યાં બળે વળી જન્મ તહીં કલ્પવેલી તણી મૃત્યુ જરા ત્રાસ વ્યાપે; છાંય અર્પી, પ્રભુ તુજ વિના કોણ શાંતિ સમર્પે? ૪ ૧. અજ્ઞાન. ૨. સૂતેલો. ૩. સુષુપ્તિ-નિદ્રા. ૪. તમિસ્ત્રા-અંધારી રાત્રિ, મિથ્યાત્વરૂપી રાત્રિના અંધકારનો નાશ કરનાર. ૫. સૂર્ય.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy