SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ : સ્વાધ્યાય સંચય અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક : શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં-અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યા, અનુમોઘા; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અઘક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ પ્રમાદાદિક પૌલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના. કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધ શ્રદ્ધાશીલ, સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર સામાયિક, પોસધ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત પચ્ચકખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહિ, કરાવી નહિ, અનુમોદી નહિ, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. છએ આવશ્યક, સમપ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહિ, પાળ્યા નહિ, સ્પર્શો નહિ, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહિ કર્યાનું જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મળે તથા સાધુના ૧૨૫ અતિચાર મળે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવા, સેવરાવ્યા,
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy