________________
૧૪૦: સ્વાધ્યાય સંચય
ચૌરિદ્રિય, પંચેંદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂછિમ આદિ ત્રસ સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી, મન, વચન અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાંદેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અધિકી ઓછી, વિપરીત પૂજના પડિલેહણા સંબંધી આહાર વિહારાદિક નાના પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટયા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ, સર્વે માફ કરો. દેવસીય, રાઈ, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડ, વારંવાર ક્ષમાવું છું તમે સર્વે ક્ષમજો.
खामेमी सव्वजीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती में सव्व भूअसु, वेरं मजझं न केणई।।
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ, સર્વ ચોરાશી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
બીજું પાપ મૃષાવાદ :
ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાયે કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિદા-વિકથી કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા-જૂઠું બોલ્યોબોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોદવું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.