________________
સ્વાધ્યાય સંચય : ૧૨૯
એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો; મુજ દોષ દયાનિધિ, દેવ દીલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાત્તાપ, હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો વિકાસ નાથ કરે છે. છો આપ નિરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. છો સહજાનંદી, અનંતદર્શી જ્ઞાની; વૈલોક્ય પ્રકાશક, નાથ, શું આપું નિશાની? મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં, જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. છે. સર્વજ્ઞ પ્રભુ શું વિશેષ કહું હું તમને, નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. હું કેવલ પશ્ચાત્તાપથી દિલ દહું છું; મુજ કર્મજન્મ પાપની ક્ષમા ચાહું છું. ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.