SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રશાવબોધ મોક્ષમાળા ઠાકરડાપણાને ચક્રવર્તિપણે માને છે! ક્વચિત માતૃકાક્ષર જેટલું પણ નહિ ભણ્યો છતાં પોતાના બુદ્ધિબળની બડાઈ હાંકે છે! કવચિત્ ઈધર ઉપરથી બુધજન પાસેથી થોડું ઘણું શીખી લઈ, હું કેટલું બધું જાણું છું એવા મિથ્યાભિમાનથી ફૂલાઈને હાથીની જેમ મદોન્મત્ત બની ફરે છે! આમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં અષ્ટ મદથી ઉન્મત બનેલા જનોની પામરતાનું જાણે પ્રદર્શન (Vanity fair) ભરાયું છે! આ આઠે મદસ્થાનોમાં નિશ્ચય કરીને કોઈ પણ ગુણ છે નહિ, કેવલ ઉન્માદ અને સંસારવૃદ્ધિ છે. પ્રશમરતિમાં કહ્યું છે તેમ જાતિ આદિ મદથી ઉન્મત્ત થએલો જીવ આ લોકમાં “પિશાચની જેમ”દુ:ખી થાય છે, અને પરલોકમાં નીચ ગોત્રકમને લીધે નિ:સંશયપણે જાતિઆદિની હીનતા પામે છે. માટે આ સર્વ પદસ્થાનોનો મૂળનાશ કરી મુમુક્ષુએ સર્વ પ્રકારનું ઉન્મત્તપણે ત્યજી, આત્મસ્વરૂપનું અપ્રમત્તપણું જ ભજવા યોગ્ય છે. (દોહરા) મોહમદિરા પાનથી, થયું જગત ઉન્મત્ત; પામરતા પ્રદર્શન ભરે, જુઓ! અષ્ટ મદમત્ત. પરભાવે અહંભાવની, બુદ્ધિથી મદઅંધ; ઉન્મત્તવત્ છેષ્ટા કરે, જ્ઞાનચક્ષુ હીણ અંધ.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy