________________
છે. જેથી મોક્ષપથપ્રદર્શક સર્વ સંસાધનનો બોધ કરતી આ યથાર્થનામાં “મોક્ષમાળા' પણ મુમુક્ષુને મોક્ષપુરુષાર્થની જાગૃતિ પ્રેરી મોક્ષરૂપ આત્મનીરોગિતાનું કારણ થઈ પડશે! શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞાના નિર્વાહણરૂપ આ યત્કિંચિત પુરુષાર્થ વડે આ “કોઈ કરશે એવી તે આર્ષદ્રષ્ટાની સૂચક ભવિષ્યવાણીનો (Prophecy) સત્યકાર થવાનું આ લેખક કંઇ પણ નિમિત્ત બન્યો હોય, તો તેટલું આ પ્રયત્નનું સફળ પણું લેખી, ગુણદોષજ્ઞ હંસદૃષ્ટિ સુજ્ઞજનો અત્રે નિમજ્જન કરી ચિત્તપ્રસન્નતા અનુભવો! કાર્તિક પૂર્ણિમા, સં. ૨૦૦૮ ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ૫, ચોપાટી રોડ, મુંબઈ-૭
એમ. બી. બી. એસ.