________________
૧
જડ ભાવે જડ પરિણમે જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. બંધ મોક્ષ સંયોગથી, ક્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન, પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.