SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારના તપ છ બાહ્ય : ૧ અનશન, ૨ ઉણોદરી, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસપરિત્યાગ, ૫ કાયકલેશ, (જગ્યા તથા આસન બેઠક વી. નું પરિમાણ) ૬ પડિસેલિનતા (શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના વિકારોને રૂંધવું) છ અત્યંતર : ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવચ્ચ (સેવાચાકરી) ૪ સજ્ઝાય અર્થાત્ સ્વાધ્યાય (સિદ્ધાંતિક વસ્તુનું જ્ઞાન મેળવવું, શીખવું) ૫ ધ્યાન (એકાગ્રતા), ૬ કાઉસગ્ગ (સ્થિરતા, એકાગ્રતાથી પાપો-દોષનું પ્રાયશ્ચિત, આત્મસ્વરૂપ - ધર્મનું ચિંતન, કર્મ અને ધર્મના ભેદ : પ્રવૃત્તિ અને નિવૃત્તિના ભેદનું નિરીક્ષણ મનોમંથન) ♦ કર્મબંધનથી મુકત થવા માટે તપ કરવું જરૂરી છે. • વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે સત્ય સમજણની જરૂર છે. ♦ સ્થિર થવા માટે એકડાની જરૂર છે. • હિંસા અને અહિંસા ઉપર ધર્મનો આખો પાયો રચાયેલો છે. હિંસા ત્યાં પાપ, અહિંસા ત્યાં ધર્મ. [ધર્મની ઓળખ અને પારખ માટે આ મુખ્ય કહેવત છે.] 29
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy