SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા રધૂળ અદત્તાદાન વિરમણ નામના અણુવ્રતના પાંચ અતિચાર છે(૧) તેનાહત (૨) તસ્કરગ (૩) વિરૂદ્ધર જ્યોતિકમ (૪) કૂટતુલાકૂટમાન અને (૫) તત્પતિરૂપક વ્યવહાર આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા આત્માના પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ નીચે મુજબ છે (૧) તેનો અર્થ ચોર છે. ચોરો દ્વારા ચોરી કરીને લવાયેલા સેના ચાંદી વગેરે દ્રવ્યને લોભને વશ થઈ ને ઓછી કિંમતે ખરીદી લેવું તેનાહત અતિચાર છે. () તસ્કરો અર્થાત્ ચોરોને પ્રેરણા આપવી, જેમ કે- “તમે પારકા ધનનું હરણ કરે વગેરે કહીને તેમને ઉત્સાહિત કરવા, ચેરી માટે પ્રેરિત કરવા તેનાગ છે. (૩) ચગ્ય અથવા ન્યાયસંગતથી વિપરીત કોઈ અન્ય પ્રકારથી ગ્રહણ કરવું અતિક્રમ કહેવાય છે. રાજાની આજ્ઞા વગેરેને સ્વીકાર કરવો, તેનાથી વિરૂદ્ધ કાર્ય ન કરવું. વિરૂદ્ધ રાજ્યમાં અતિક્રમ કરવું વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મિત્ર રાજ્યનું અપમાન કરનાર અને પર રાષ્ટ્રના માટે ઉપકારક વ્યવહાર, વિરૂદ્ધ રાજ્યાતિક્રમ છે. (૪) અનાજ વગેરે જોખવાનું લાકડા વગેરેથી બનેલું માપમાન કહે. વાય છે. ત્રાજવા આદિને ઉન્માન કહે છે. નાના-ઉન્માનથી બીજાને અનાજ અથવા સુવર્ણ વગેરે આપવું અને મેટા વડે પિતાના માટે લેવું, આ જાતને વ્યવહાર કૂતુલાકૂટમાન કહેવાય છે. (૫) અસલી વસ્તુમાં બનાવટી ચીજ ભેળવી દઈ ને તેને મૂળ વસ્તુના રૂપમાં વેચી તપ્રતિરૂ વ્યવહાર કહેવાય છે. જેમ કે બનાવટી ચાંદી જેવા તાંબા અને રૂપાથી બનાવવામાં આવેલા સિકકાઓથી ઠગાઈ કરવા માટે કયવિક્રય વ્યવહાર કરે. તાંબાથી બનાવેલા, ચાંદી-નાથી બનાવેલા અને તાંબા તથા રૂપાથી બનાવેલા સિકકા હિરણય જેવા હોય છે. આવા સિક્કા કઈ-કઈ પુરૂષ, લેકેને છેતરવા માટે બનાવે છે. તે જ સિક્કાઓને પ્રતિ રૂપક (નકલી) કહે છે. તે પ્રતિરૂપકોથી કય-વિય વ્યવહાર કરો પ્રતિરૂપવ્યવહાર કહેવાય છે. તસ્કરપ્રયોગ આદિ એ પાંચે યૂળસ્તેય વિરમણ નામના ત્રીજા અણુવ્ર તના અતિચાર છે. આથી રસ્થૂળ અદત્તાદાન વિરતિ નામના ત્રીજા અણુવ્રતના, તસ્કરગ આદિ પાંચ અતિચારોથી બચીને તેમનું પાલન કરવું જોઈએ. ૪૩ તત્વાર્થનિયુકિત- પહેલા સ્થળમૃષાવાદ વિરતિ નામના બીજા અણુ વતના મૃષપદેશ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે ક્રમ પ્રાપ્ત સ્થૂળસ્તેય વિરમણ નામક ત્રીજા અણુવ્રતના સ્તન હત આદિ પાંચ અતિચારની પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૧૨૦
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy