SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ તત્વાર્થસૂત્રને સ્વાભાવિક પ્રશ્ન થઈ શકે કે અવિગ્રહગતિ એક સમયની જ કેમ હોય છે? બે અગર ત્રણ સમયની કેમ નહીં ? કાળના અવસરે કાળ કરીને કેઈ જીવ બે અગર ત્રણ સમય સુધી સીધું ગમન કેમ કરતું નથી ? પ્રશ્નનો જવાબ એ છે કે ત્રીજીગતિમાં પ્રતિઘાત નથી અને વિગ્રહનું કોઈ કારણ હોતું નથી. આ ઉપરાંત શાસ્ત્રની એજ માન્યતા છે. જે જીવ ત્રીજીગતિથી પોતાના ઉપપાતક્ષેત્રમાં જાય છે, તે વચ્ચે કોઈ પણ જગ્યાએ રોકાયા વગર એક જ સમયમાં તેને પ્રાપ્ત કરી લે છે. ત્યાં બે અગર બેથી વધારે સમય થવાનું કેઈ કારણ નથી આથી તેની આ ગતિ એકજ સમયની હોય છે. પપાતિકસૂત્રના સિદ્ધપ્રકરણમાં ૯૨માં સૂત્રની અમારા દ્વારા કરવામાં આવેલી પીયૂષવર્ષિણી ટીકામાં કહ્યું છે-ત્રીજીગતિને પ્રાપ્ત અસ્પર્શમાનગતિ વાળ જીવ એક સમયના અવિગ્રહથી જઈને સાકાર ઉપયોગથી યુક્ત થઈને સિદ્ધ થશે. જેવી રીતે સંસારી જીની ચાર ગતિ સંભવિત છે તેજ રીતે પરમાણુ વગેરે પુદ્ગલોની પણ વિસા તથા પ્રયોગ દ્વારા સમજી લેવી જોઈએ. કાળનો તથા વિગ્રહને આ નિયમ અન્તરાલ ગતિ માટે દર્શાવવામાં આવેલ છે. ભવસ્થ તથા ઔદારિક શરીરવાળા જીવોની પ્રગપરિણામના વશથી સવિગ્રહક અવિગ્રહક બંને પ્રકારની ગતિ થાય છે-તેના માટે કોઈ નિયમ નથી. ઔદારિક વગેરે શરીરધારીઓ માટે વિગ્રહોનો નિયમ નથી-તે થોડા પણ હોય છે અને ઘણાં પણ હોઈ શકે છે | ૨૪ મનોજ વિજય' | ર તે મૂળસૂત્રાર્થ –વિગ્રહગતિ કાર્મણકાયયોગથી થાય છે ૨૫ | તત્વાર્થદીપિકા–પ્રથમ વિશિષ્ટ સંસારી જીવના જ મનેયેગને નિયમ બતાવવામાં આવ્યું. હવે ભવાન્તરગમનના માર્ગમાં અન્તર્ગતિમાં વર્તમાન અને કર્યો વેગ હોય છે એ દર્શાવવા માટે કહીએ છીએ-- જીવની વિગ્રહગતિ કર્મવેગથી અર્થાત્ કામણશરીરના નિમિત્તથી થાય છે. જે ગતિ વિગ્રડ અર્થાત વક્તાથી યુકત હોય તે વિગ્રહગતિ કહેવાય છે. જે શરીર સમસ્ત શરીરની ઉત્પત્તિમાં બીજની સમાન–કારણરૂપ હોય તે કામણ શરીર કહેવાય છે અનેવગણ કાય વર્ગણ અને વચનવર્ગણાના નિમિત્તથી થનારા આત્માના પ્રદેશોનું પરિસ્પન્દન-હલન ચલનયુગ કહેવાય છે. એવી રીતે વિગ્રહગતિમાં કામણુકાયોગ થાય છે તેનાથી નવીન કર્મોનું ગ્રહણ અને દેશાન્તરમાં ગમન થાય છે. - જ્યારે આત્મા એક શરીરને છોડી બીજુ શરીર ધારણ કરવા માટે જાય છે, ત્યારે તે કાર્મણ શરીરની સાથે હોય છે. આને ફલિતાર્થ એ છે કે જીવ કામણ શરીરના આધારથી ભવાન્તરમાં ગમન કરે છે–આને પરમાર્થ એ છે કે ભવાન્તરમાં ગમનના માર્ગમાં સ્થિત તથા વિગ્રહગતિને પામેલા જીવની અન્તરાલ ગતિમાં કાર્પણ કાયયેશ થાય છે. અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં આગમના કથન અનુસાર કાયસેગ વચનગ અને મને ત્રણે ગ હોઈ શકે છે એમ સમજી લેવું કે ૨૫ છે તત્વાર્થનિર્યુકિત –અગાઉ ખાસ ખાસ સંસારી છનાં જ મગને નિયમ પ્રતિપાદન કર્યો પરંતુ અન્તર્ગતિમાં છેને કે વેગ હોય છે ? આ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-વિગ્રહગતિ કર્મયોગ અર્થાત્ કામણ કાયયોગથી થાય છે. જેમાં કામણ શરીર દ્વારા ચેષ્ટા થાય તે ગતિ-કમગ કહેવાય છે. વિગ્રહગતિ કર્મગ છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ४४
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy