SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને પ્ર–ભગવાન ! પરમાણુપુદ્ગલેની ગતિ અનુશ્રેણિ-શ્રેણી અનુસાર થાય છે ? જવાબ–ગૌતમ ! અનુશ્રેણું ગતિ હોય છે, વિશ્રેણી ગતિ હોતી નથી. પ્ર–ભગવાન ! ટ્રિપ્રદેશી ઔધની અનુશ્રેણી ગતિ હોય કે વિશ્રેણી ગતિ ? જા–આ પ્રશ્નનો જવાબ પૂર્વવત્ છે. આવી જ રીતે અનંતપ્રદેશ સ્કંધ સુધી સમજવાનું છે. પ્ર.--ભગવદ્ નારકી જીવેની ગતિ અનુશ્રેણી હોય છે કે વિશ્રેણી. જ—આને જવાબ પણ પૂર્વવત્ જ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી સમજવું મારવા 'जीवगई य दुविहा विग्गहा अविग्गहा य' મૂળસૂત્રાર્થ –જીવની ગતિ બે પ્રકારની છે-સવિગ્રહ અને અવિગ્રહ / ૨૪ તવાદિપીકા–પહેલા છે અને પુગલેની ગતિની પ્રરૂપણ કરી તેમાં જીની તે ગતિ ભવાન્તર પ્રાપિણું અને પુદ્ગલેની ગતિદેશાન્તર પ્રાપિણી હોય છે એવું સમજી લેવું. શું જીવ અગર પુદ્ગલ સીધા જ આવીને રોકાઈ જાય છે અથવા વાંકા-ચુંકા જઈને પણ ઉત્પન્ન થાય છે અથવા રેકાઈ જાય છે ? એવા પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન એ છે કે પુદુગળે માટે નિયમ ન હોવાથી પરપ્રયાગના અભાવમાં તેમની સીધી જ ગતિ હોય છે, પરંતુ પરપ્રેગના નિમિત્તથી બંને પ્રકારની ગતિ હોય છે. - સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા જેની ગતિ નિયમથી વગર વિગ્રહ (વળાંક) ની સરલ હોય છે આ સિવાયના સંસારી જીની ગતિ વાંકી પણ હોય છે અને સીધી પણ હોય છે આ પ્રકારની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ— જીવની ગતિ બે પ્રકારની હોય છે સવિગ્રહ ગતિ અને અવિગ્રહ ગતિ. એક ભવથી બીજા ભવને પ્રાપ્ત કરાવનાર જીવની ગતિ બે પ્રકારની હોય છે-વિગ્રહવાળી અર્થાત વક્રગતિ અને અવિગ્રહવાળી અર્થાત્ સરળગતિ વિગ્રહરહિત-સીધી ગતિ એક સમયની જ હોય છે મોક્ષગામી સિદ્ધજીવની અવિગ્રહ ગતિ હોય છે. અવિગ્રહ ગતિ એક સમય બે સમય અને ત્રણ સમયની હોય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ત્રણ સમયની જાણવી. આ રીતે એકેન્દ્રિય ઈન્દ્રિય વગેરે જાતિયની અંદર સંક્રમણ કરવામાં અથવા સ્વજાતિમાં સંક્રમણ કરવામાં સંસારી જીવની ગતિ સવિગ્રહ અર્થાત્ વક અને અવિગ્રહ અર્થાતુ સરળસીધી ગતિ. કયારેક વક્રગતિ અને ક્યારેક સરળગતિ હોવાનું કારણ ઉપપાત ક્ષેત્રની અનુકૂળતા તથા પ્રતિફળતા છે. જે ક્ષેત્રમાં જીવ જન્મ લેનાર છે, તે ક્ષેત્રની અનુકૂળતા હોવાથી, મધ્યમાં. ઉપર અગર નીચે, દિશાઓમાં અથવા વિદિશાઓમાં મરતો થકો, જેટલી આકાશશ્રેણીમાં અવગાહના હોય છે, તેટલી જ પ્રમાણવાળી શ્રેણીનો પરિત્યાગ ન કરતો થક, ચારવિગ્રહથી પહેલા વિગ્રહગતિથી ઉત્પન્ન થતો થકે એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી અગર ત્રણ વિગ્રહવાળી ગતિથી ઉત્પન્ન થાય છે પરંતુ અન્તર્ગતિ તો ચોક્કસ જ ત્રણ વિગ્રહવાળી હોય છે એવા નિયમને સ્વીકાર ન કરવો જોઈએ પરંતુ જે જીવની ગતિ વિગ્રહવાળી હોય છે, ઉપપાત ક્ષેત્રના કારણે તેની વિગ્રહવાળી ગતિ ઉત્કૃષ્ટ ત્રણ વિગ્રહવાળી હોય છે. એજ રીતે વિગ્રહની દષ્ટિથી ચાર ગતિ છે–એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી, ત્રણ વિગ્રહવાળી ને ચાર સમયની હોય છે. આમા વિગ્રહરહિત ગતિ એક સમયની હોય છે અને વિગ્રહ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy