SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. વષધર પર્વતનાવર્ષાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૩૧૩ કેસરીહદનું મહાપદ્મની બરાબર પુંડરિકલ્હદનું અને પદ્મહદની જેમ, મહાપુંડરિકહદનું પરિમાણ (આયામ વિષ્કભી છે. એમાં રહેલાં કમળના વિષયમાં પણ આ મુજબ જ સમજવું. આશય એ છે કે પદ્મહદની મધ્યમાં સ્થિત પુષ્કરની અપેક્ષા મહાપદ્મહદમાં સ્થિત પુષ્કર બમણ છે, મહાપદ્યહુદના પુષ્કરની અપેક્ષા તિગિછફુદ પુષ્કર બમણાં છે ત્યારબાદ ઉત્તરમાં કેસરીહુદના પુષ્કર તિગિચ્છખુદના પુષ્કરની બરાબર, પુંડરિકહિદના પુષ્કર મહાપદ્મહદના પુષ્કરની બરાબર અને મહાપુંડરિકાણુંદના પુષ્કર પધ્ધહુદના પુષ્કર જેટલાં છે. અવગાહ બધાં સરોવરોને દસ જનનો જ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના મહાપદ્મહદના પ્રકરણમાં સૂત્ર ૮૦માં કહ્યું છે–મહાહિમવન્ત પર્વતની ઠીક વચ્ચે વચ્ચે એક મહાપ હદ નામનું સરવર છે તેની લંબાઈ બે હજાર જનની છે, અને પહોળાઈ એક હજાર યોજનની અને ઉંડાઈ દસ હજાર જનની કહેવામાં આવી છે. તે સ્વચ્છ છે તેના કાંઠાઓ રજતમય છે આ રીતે લંબાઈ-પહોળાઈને છેડીને બાકીનું વર્ણન પદ્મસરોવરની બરાબર સમજી લેવું. તેમાં રહેલા કમળાનું પ્રમાણુ બે જન છે અર્થાત મહાપદ્મસરોવરના વર્ણની માફ્ટ.તે કમળમાં એક પલ્યોપમની સ્થિતિવાળી હી દેવી નિવાસ કરે છે. પછીથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં છ ઇંદનાં પ્રકરણમાં સૂત્ર ૮૩થી ૧૧૦ સુધીમાં કહ્યું છે– નિગિરછ હદ નામક સરોવર છે જે ચાર હજાર જન લાંબુ છે બે હજાર યોજન પહોળું છે અને દસ હજાર જન ઉડું છે. અહીં ધૃતિ નામની દેવી નિવાસ કરે છે જેની સ્થિતિ એક પલ્યોપમની છે. ઉત્તરોત્તર વિશાળ તે છ પુષ્કરની કર્ણિકાના મધ્યભાગમાં બનેલા, શરદૂપૂર્ણિમાનાં ચન્દ્રમાની સ્ના–કાન્તિને પણ ઝાંખી પાડનાર, એક ગાઉ લાંબા, અગાઉના વિસ્તારવાળા તથા એક ગાઉથી થોડાક ઓછા ઉંચા એવા છ પ્રાસાદ (મહેલાં) છે તે પ્રાસાદોમાં છ દેવિઓ નિવાસ કરે છે જેમના નામ આ પ્રકારે છે–શ્રી, હી, પ્રતિ, કીર્તિ, બુદ્ધિ અને લકમી. આ બધી દેવિઓની સ્થિતિ પલ્યોપમની છે અને તેઓ સામાનિક તથા પારિષદોની સાથે ત્યાં નિવાસ કરે છે. તે પુષ્કરનાં પરિવારરૂપ અન્ય પુષ્કરમાં પ્રાસાદની ઉપર તે દેવિઓના સામાનિક અને પારિષદ્ય દેવ નિવાસ કરે છે સ્થાનાંગસૂત્રના છઠા સ્થાનમાં કહ્યું છે–ત્યાં છ મહાન ઋદ્ધિની ધારક યાવ-પલ્યોપમની સ્થિતિવાળી દેવિઓ રહે છે તેઓના નામ આ પ્રમાણે છે—શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી...યાવત્ શબ્દથી મહાન ઘુતિવાળી, મહાયશવાળી, ઇત્યાદિ અર્થ સમજ. આ છ દેવિઓમાંથી શ્રી, હી અને ધૃતિ નામની ત્રણ દેવિઓ પિત–પિતાના પરિવાર સહિત સૌધર્મેન્દ્રની સાથે સમ્બન્ધ રાખે છે આથી તે ત્રણે સૌધર્મેન્દ્રની સેવામાં તત્પર રહે છે. કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની ત્રણ દેવિઓ ઈશાનેન્દ્રથી સમ્બદ્ધ છે આથી તેઓ ઇશાનેન્દ્રની સેવામાં ઉત્સુક રહે છે— આ રીતે પચે મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં જે છ-છ કુલપર્વતે છે તે દરેક ઉપર છ- છ દેવિઓ છે. આ રીતે બધી મળીને કુલ દેવિઓ હોય છે પારકા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧ ૩
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy