SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ તત્ત્વાર્થસૂત્રને તેજ જગાએ પૃથ્વિના-પરિણમનથી બનેલા અને નરકભૂમિના અનુભવથી ઉત્પન્ન કરવામાં આવેલા શૂલ, શિલા, શક્તિ, તોમર મુસલ, મુગલ, કુન્ત, તલવાર, પટ્ટા, લાઠી, ફરસી, વગેરે શસ્ત્ર લઈને તથા હાથ પગ અને દાંતોથી પણ પરસ્પર આક્રમણું કરે છે. આપસના આઘાત–પ્રત્યાઘાતથી આહત થયેલાં તેઓ આર્તનાદ કરે છે. તેમના અંગઅંગ વિકૃત થઈ જાય છે. તેમને એટલી અપાર વેદના થાય છે કે તેઓ કતલખાનામાં લઈ જવામાં આવતાં ભેંસ, સુવર અને ઘેટાની માફક તરફડીઆ મારે છે અને લેહીના–કાદવમાં આળોટે છે તાત્પર્ય એ છે કે આ નારકોને નરકમાં પરસ્પર ઉત્પન્ન થનારા આવાં ઘોર દુઃખ સહન કરવા પડે છે કે ૧૪ છે 'तच्चं पुढवि जाव संकिलिट्ठासुरोदीरियदुक्खाय' સૂત્રાર્થ-ત્રીજી પૃથ્વિ સુધી સંકિલષ્ટ અસુર (પરમધાર્મિક) દેવ પણ દુઃખ ઉપજાવે છે કે ૧૫ / તત્ત્વાર્થદીપિકા—પૂર્વસૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નારક જીવો પૂર્વજન્મમાં બાંધેલા વેરનું સમરણ કરીને તથા નરકભૂમિઓના પ્રભાવથી પ્રભાવિત થઈને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરે છે. અત્રે એ બતાવવામાં આવી રહ્યું છે કે વાલુકાપ્રભા પૃથ્વિ સુધી અસુરકુમાર દેવ પણ નારકેને દુઃખ ઉત્પન્ન કરે છે–ત્રીજી પૃથ્વિ પર્યત અર્થાત્ વાલુકાપ્રભા પૃવિ સુધી પૂર્વજન્મમાં ઉપાર્જિત અત્યન્ત સંકિલષ્ટ પરિણામે દ્વારા ઉત્પન્ન પાપ કર્મના ઉદયથી પરમાધાર્મિક અસુર પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે. સૂત્રમાં સંકિલષ્ટ વિશેષણના પ્રયોગ દ્વારા એ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે બધાં અસુર નારકેને પીડા પહોંચાડતાં નથી તો પણ કેટલાક પરમાધાર્મિક નામના અમ્બ અમ્બરીષ આદિ અસુર જ પીડા આપે છે. સંકિલષ્ટ અસુર રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા આ ત્રણ ભૂમિઓમાં જ નારક જીવોની બાધાના નિમિત્ત બને છે; આનાથી પછીની પંકપ્રભા આદિ પૃવિઓમાં તેઓ બાધા પહોંચાડતા નથી, કારણ કે ત્રીજી પૃથ્વિથી પછી તેમનું ગમન જ થતું નથી. આ અસુરકુમાર નારક જીને અત્યન્ત તપાવેલા હરસનું પાન કરાવે છે; ઘણું જ તપાવેલા લોહસ્તંભનું આલિંગન કરાવે છે, ફૂટશાલ્મલી વૃક્ષ પર કે જેનાં પાંદડા તલવારની ધાર જેવાં અણિદાર હોય છે તેના ઉપર ચઢાવ-ઉતારે છે, લોખંડના હથોડાથી માર મારે છે, રંધા, છરા વગેરેથી છોલે છે, તેમનાં ઘા ઉપર ગરમ કરેલું કકડતું તેલ છાંટે છે, લોહમય ઘડાઓમાં તેમને બાફે છે, રેતીમાં શેકે છે, વૈતરણી નામની નદીમાં ડુબાડે છે, યંત્ર (ઘાણ)માં પીલે છે વગેરે અનેક પ્રકારોથી નારકોને તેઓ દુઃખ ઉત્પન્ન કરે છે. નારક જીના શરીરનું છેદન-ભેદન કરવા છતાં પણ અને શરીરના કકડે-કકડા કરી નાખવા છતાં પણ અકાળે તેમના મરણ થતાં નથી તેઓ અનપવર્લે--આયુષ્યવાળા હોય છે. અસુર શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી જોઈએ—અસુરત્વ ઉત્પન્ન કરનારા દેવગતિ નામ કર્મના એક ભેદના ઉદયથી જે બીજાને મતિ-ક્ષિત્તિ અર્થાત્ દુઃખમાં નાખે છે તે “અસુર” કહેવાય છે કે ૧૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯ ૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy