SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ તત્વાર્થસૂત્રને તસ્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ખ્યાંશી પ્રકારના પાપકર્મોમાં ક્રમથી પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિથ્યાત્વ, સેળ કષાય નવ અકષાય, નરકાયુ નરકગતિ વગેરે ચૈત્રીશ પ્રકારના અશુભ નામકર્મ બંધાવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે અહીં ક્રમાનુસાર નીચ શેત્ર કમ બંધાવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવે છે– - આઠ પ્રકારના જાતિ, મદ આદિ મદસ્થાનેથી અર્થાત જાતિ આદિ આઠેના વિષયમાં અહંકાર કરવાથી નીચ નેત્રકમ બંધાય છે. તે આઠ આ પ્રમાણે છે–જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય. દાખલા તરીકે–જાતિ-મદથી-હું સહુ કરતાં માતૃપક્ષરૂપ જાતિમાં ઉચો છું, એવી રીતે જાતિ સમ્બન્ધી અહંકારથી (૧) કુળને મદથી–મારે પિતૃપક્ષ-વંશ સર્વ શ્રેષ્ઠ છે—હું ઉત્તમ વંશજ છું આ જાતના કુળ સમ્બન્ધી અહંકારથી (૨) બળ મદથી–બધા કરતાં હું શક્તિશાળી વ્યક્તિ છું એ જાતને બળને અહંકાર કરવાથી (૩), રૂપમદથી-મારું રૂપ સૌન્દર્ય દિવ્ય છે એમ રૂપને અહંકાર કરવાથી (૪) તપ-મદથી...હું ઉગ્રતપસ્વી છું મારા જેવી કઠોર તપસ્યા કોણ કરી શકે છે ? એવા તપને અહંકાર કરવાથી (પ), શ્રત મદથીહું બધાં આગનો જાણકાર છું, મારૂં જ્ઞાન વિશાળ છે એ રીતે શ્રત સમ્બન્ધી અહંકારથી (૬), લાભમદથી ફાયદો જ ફાયદો થાય છે જે વસ્તુની-ઈરછા કરૂ છું તે વસ્તુ મને આવી મળે છે એ લાભને અહંકાર કરવાથી (૭) આવી જ રીતે એશ્વર્યમથી–અર્થાતુ અધિકાર પદવી પરિવાર, ઋદ્ધિઆદિ સંપત્તિ જે મારી પાસે છે તે અનુપમ અને અઢળક છે એ ઐશ્વર્ય બાબતનો અહંકાર કરવાથી (૮), અર્થાત્ આ આઠ પ્રકારનાં મદ–અહંકારથી જીવ નીચ શેત્રકમ બાંધે છે આ જ વિષયમાં ભગવતીસૂત્ર શતક ૮ના ઉદ્દેશક લ્માં ભગવાને આવું જ કહેલ છે ? રોrી વિધાળો અંતરયામાં સૂવાથ–દાન વગેરેમાં હરક્ત પહોંચાડવાથી અન્તરાય કર્મ બંધાય છે ૧૦ તસ્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ આદિ ખાંશી પ્રકારનાં પાપકર્મોમાંથી કમપ્રાપ્તનીચ ગોત્ર કર્મ બંધાવાના કારણેની પ્રરૂપણા કરવામાં આવી હવે અંતિમ કર્મ અખ્તરાયકર્મ બાંધવાના કારણેની પ્રરૂપણા કરવામાં આવે છે– દાન આદિ અર્થાત દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્યમાં વિધ્ર નાખવાથી, બાધા પહોંચાડવાથી..અન્તરાય કર્મ બંધાય છે. તાત્પર્ય એ છે કે દાન લાભ, ભેગ, ઉપભોગ અને વીર્યમાં વિન નાખવું એ અન્તરાય કર્મ બાંધવાના કારણે છે ૧૦ તત્વાર્થનિયુકિત–આની પહેલાં જ્ઞાનાવરણીય આદિ ખ્યાંશી પ્રકારના પાપકર્મ બાંધવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છેહવે અન્તમાં બાકી રહેલા અન્તરાય કર્મના બાંધવાના કારણેનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યું છે–-દાન લાભ, ભેગ, ઉપભેગ અને વીર્યમાં વિદન નાખવાથી અન્તરાય કર્મ બંધાય છે. પોતાની વસ્તુ-પિતાની સત્તાને ભાગ કરી અન્યને આપવી તેને દાન કહે છે (૧) કઈ વસ્તુની પ્રાપ્તિ થવી તેને લાભ કહે છે (૨) જે એકવાર ભેગવવામાં આવે તેને ભેગ કહે છે દા. ત. આહાર વગેરે (૩) જે વારંવાર ભેગવવામાં આવે છે તે ઉપભેગ છે દા.ત, વસ્ત્રાદિ (૪) ધર્મ-આરાધના વગેરેમાં ઉજમાળ રહેવું એ વીર્ય છે. (૫) આ દાનાદિ પાંચેમાં વિઘ્ન નાખવું એ અન્તરાય કર્મ બાંધવાના કારણે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy