SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ તત્ત્વાર્થસૂત્રને નરકગતિ તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, કીન્દ્રિય જાતિ, ત્રિઈન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિયજાતિ, સમચતુર સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, વજીર્ષભનારા સંહનન સિવાયના પાંચ સંહનન અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ, નરકગત્યાનુપૂવી, તિર્યંચગાત્યાનુપૂવી ઉપઘાત, પ્રશસ્ત વિહાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, નીચગોત્ર અને પાંચ અન્તરાય. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય આ છે –(૧) આભિનિબંધિક જ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય અને (૫) કેવળ જ્ઞાનાવરણય. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે—પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવેલ છે–આભિનિબોધક જ્ઞાનાવરણીય, શ્રત જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાનાવરણીય, અયશકીર્તિ નીચગોત્ર અને પાંચ પ્રકારના અન્તરાય અને કેવળજ્ઞાનાવરણીય. દર્શનાવરણીયના નવ પ્રકાર છે–ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ અવધિ દર્શનાવરણ, કેવળદર્શનાવરણ નિદ્રા, નિદ્રા--નિદ્રા, પ્રચલા, પ્રચલા--પ્રચલા અને ત્યાનધેિ. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે–દશનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે—(૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) સ્યાનદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણ. પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૩ માં પદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે—“અસાતવેદનીય સાતવેદનીય કર્મ પુણ્યપ્રકૃતિમાં પરિગણિત કરવામાં આવ્યા છે. મિથ્યાત્વવેદનીય રૂપ મિથ્યાત્વ એકજ પ્રકારનું છે. પ્રજ્ઞાપનામાં ૨૩માં કર્મબંધપદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે – પ્રશ્ન–ભગવન્! મેહનીય કર્મ કેટલાના પ્રકારના છે? ઉત્તર–ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે—દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય. પ્રશ્ન–ભગવદ્ ! દર્શનમેહનીય કર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર--ગૌતમ ! ત્રણ પ્રકારના છે–સમ્યકૂવવેદનીય મિથ્યાત્વવેદનીય અને સમ્યગૃમિથ્યાત્વવેદનીય. અત્રે જે કે દર્શનમેહનીય કમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે તે પણ સમ્યક્ત્વવેદનીય અને સમ્યગૂ મિથ્યાત્વવેદનીય પ્રકૃતિઓ પુણ્યરૂપ પરિણુત હોય છે, પાપકર્મ રૂપ નહીં. આથી પાપકર્મમાં કેવળ મિથ્યાત્વ કર્મની જ ગણતરી કરવામાં આવી છે. સેળ કષાય આ મુજબ છે. – અનન્તાનુબંધી ક્રોધ અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, અપ્રત્યાખ્યાન માન, અપ્રત્યાખ્યાન માયા, અપ્રત્યાખ્યાન લેભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજવલન ક્રોધ, સંજ્વલન માન, સંજવલન માયા અને સંજ્વલન લોભ, આ વર્ણનપ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં કર્મબન્ધ પદમાં બીજા ઉદ્દેશકમાં આ જ પ્રમાણે કહ્યાં છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ २७०
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy