SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ તિષ્ક દેવેની ગતિઆદિનું કથન સૂ. ૨૭ ર૬૧ મહાશુકે અને સહસાર કલ્પમાં દેવ શબ્દથી પરિચારણ કરે છે, આનત, પ્રાકૃત, આરણ અને અમ્રુત કપમાં દેવ મનથી પરિચારણા કરે છે, નૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવ પરિચારણું રહિત હોય છે”— કપિપપન્ન અને કલ્પાતીત દેવના પ્રવીચારના વિષયમાં કહ્યું છે કે – બે દેવલોકમાં કાયાથી, એમાં સ્પર્શથી, બેમાં રૂપથી અને એમાં શબ્દથી અને ચારમાં મનના સંકલ્પથી પ્રવીચાર થાય છે બાકીનાં દેવ પરિચારણા રહિત હોય છે . ૧ દેના શરીર સાત ધાતુઓથી રહિત હોય છે આથી તેમનું વીર્ય સ્મલિત થતું નથી જ્યારે વેદની ઉદીરણ હઠી જાય છે ત્યારે તેમને સંક૯પ-સુખ ઉત્પન્ન થાય છે કે ૨૬ છે કોરિક એપથf ઈત્યાદિ સુત્રાથ–જ્યોતિષ્ક દેવ મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરે છે, દિવસ રાત્રી વગેરે કાળના વિભાગના કારણ છે, મનુષ્યક્ષેત્રમાં અર્થાત્ અઢી દ્વીપમાં નિરન્તર ગમન કરે છે અને મનુષ્યથી બહાર સ્થિત છે. જે ર૭ | તત્વાર્થદીપિકા–પ્રથમ બતાવી દેવામાં આવ્યું છે કે ભવનવાસિઓથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધીના દેવ કાયાથી સ્પર્શથી રૂપથી શબ્દથી અને મનથી મૈથુન સેવે છે અને કોઈ—કઈ દેવ પ્રવીચાર રહિત પણ હોય છે. હવે જ્યતિષ્ક દેવેની ગતિ તેમજ કાળ વિભાજનક વગેરેની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના તિષ્ક મેરૂ પર્વતની પરિક્રમા કરે છે. આ જ કાળના વિભાજનના કારણો છે અર્થાત્ તેમની ગતિના કારણે જ સમય, આવલિકા આદિ કાળના ભેદ થાય છે તેઓ નિત્ય અર્થાત્ અનવરત ગતિશીલ રહે છે–એક ક્ષણ માટે પણ તેમની ગતિને કઈ રોકી શકતું નથી–પરન્તુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષત્તર પર્વતથી આગળ તેઓ ભ્રમણ કરતાં નથી–સ્થિર રહે છે તે ર૭ | તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના દેના વિષયોગ વગેરેનું યથાયોગ્ય વિવેચન કરવામાં આવ્યું છે. હવે જ્યાતિષ્ક દેની ગતિ આદિના વિષયમાં કહીએ છીએ– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના તિષ્ક દેવ મનુષ્ય-ક્ષેત્રમાં અત માતષોત્તર પર્વત પર્યક્તના પીસ્તાલીશ લાખ ચેાજન લંબાઈ પહોળાઈવાળા અઢી દ્વીપમાં મેરૂ પર્વતની પ્રદક્ષિણ કરતા થકા નિરતર ગતિ કરતા રહે છે. આ જ જ્યોતિષ્ક દે કાળના વિભાગના કારણ છે અર્થાત્ સમય આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક લવ અને મહત્ત આદિ કાળના ભેદોના કારણ હોય છે. ચન્દ્ર, સૂર્ય આદિના સંચારથી જ ઘડી, પળ, ક્ષણ, પ્રહર, દિવસ, રાત, પક્ષ માસ, અયન, વર્ષ, ક૯૫ વગેરેનો વ્યવહાર થાય છે અન્યથા વ્યવહાર થઈ શક્તો નથી. આ રીતે ચન્દ્ર, સૂર્ય આદિ તિષ્ક દેa કાળવિભાગના કારણરૂપ છે. એટલું ચોકકસ છે કે આ તિષ્કદેવ મનુષ્ય-ક્ષેત્રથી બહાર સંચાર કરતા નથી પરંતુ સ્થિર રહે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૬૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy