SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ w e * - * * w ગુજરાતી અનુવાદ અ. ૪ પચીસ ભાવનાઓનું નિરૂપણ ૨૨ ૭ માંદગી અવસ્થા આદિમાં મળ-મૂત્ર એકઠો કરવા માટેના પાત્રો રાખવા માટે, હાથ વગેરે દેવાના સ્થાન આદિ માટે ફરીવાર યાચના કરવી જોઈએ જેથી તેના સ્વામીને મનમાં કંઈ દુઃખ ન ઉપજે. આવી જ રીતે બધી બાજુએથી આટલી–આટલી જગ્યા અને વાપરીશું એવું નક્કી કરીને તેની આજ્ઞા લેવી જોઈએ. | (૧૩) પીઠ-ફલક અથત પાટ તથા એઠીંગણ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવું અદત્તાદાનવ્રતની ત્રીજી ભાવના છે. (૧૪) જે આહાર સાધારણ હેય અર્થાત અનેક સાધુઓ માટેનું હોય, તેમાંથી લઈને વધારે ખાવું ન જોઈએ. જે અને જેટલા આહાર લેવાની ગુરુની આજ્ઞા હોય તેટલું જ ગ્રહણ કરવું જોઈએ. ગુરુની આજ્ઞાથી ગ્રહણ કરવામાં આવેલા આહારપાણીને સૂત્રોક્ત વિધિ અનુસાર ઉપભોગ કરવો જોઈએ. આવી જ રીતે ઔધિક અને ઔપગ્રાહિક ઉપધિ-વસ્ત્ર વગેરે બધું જ ગુરુની આજ્ઞાથી, વન્દનપૂર્વક, ગુરુના કહેવા મુજબ જ કામમાં લેવા જોઈએ. આ પ્રકારની ભાવનાવાળા અદત્તાદાનવિરમણ વ્રતનું ઉલ્લંઘન કરતા નથી. (૧૫) હમેશાં સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૧૬) બ્રહ્મચર્યવ્રતની પૂર્વોક્ત પાંચ ભાવનાઓમાંથી સ્ત્રી પશુ-નપુંસક (ફાતડા)થી રહિત સ્થાનનો ઉપયોગ કરવાનો આશય છે દેવ-મનુષ્ય સ્ત્રી, તિર્યંચજાતિ-ઘેાડી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરેના સંપર્ક વાળા આસન–શયન વગેરેનો ત્યાગ કરવો. જે સ્થાનમાં આ બધાં હોય તેમાં નિવાસ કરવાથી અનેક હાનિઓ થાય છે. આથી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા માટે આ ભાવનાથી આત્માને વાસિત કર જોઈએ. (૧૭) સ્ત્રી, પશુ, નપુંસકનો સદુર્ભાવ ન હોય તે પણ રોગયુકત થઈને સ્ત્રીકથા અર્થાત સ્ત્રીઓ સંબંધી વાર્તાલાપને ત્યાગ કરવો જોઈએ. મેહજનિત રાગ રૂપ પરિણતિથી યુકત સ્ત્રીકથા જેમાં દેશ, જાતિ, કુળ, વેશભૂષા બોલ ચાલ, ગતિ, વિલાસ, વિશ્વમ, ભ્રમરે મટકાવવી, કટાક્ષ, હાસ્ય, લીલા, પ્રણયકલહ આદિ શૃંગાર રસ સમ્મિલિત છે તેનાથી પરિપૂર્ણ હોવાના કારણે વંટોળી આ જેવા ચિત્તરૂપી સમુદ્રને ક્ષુબ્ધ કરી નાખે છે આથી રાગ સંબંધિત સ્ત્રીકથાને ત્યાગ કરવો જ શ્રેયસ્કર છે. (૧૮) સ્ત્રીઓની મનહર ઇન્દ્રિયના અવલેકનથી પણ બચવું જોઈએ. તેમના મને રમ સ્તન આદિના-અવલોકનથી વિરત થવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવવી જોઈએ. (૧૯) પૂર્વકાળમાં ભગવેલા ભેગનું મરણ ન કરવું જોઈએ સાધુ-અવસ્થામાં ગ્રહદશામાં ભગવેલા ભેગીનું સ્મરણ કરવાથી કામાગ્નિ પ્રજવલિત થાય છે આથી તેમનું સ્મરણ છોડી દેવામાં જ કલ્યાણ છે. (૨૦) પ્રતિદિન કારણ વગરપૌષ્ટિક ભજન પણ ન કરવું જોઈએ. બળ–વીર્યવર્ધક સ્નિગ્ધ મધુર આદિ રસનું સેવન કરવાથી તથા દૂધ, દહીં, ઘી, ગોળ તેલ વગેરેના સેવનથી મેદ, મજજા તથા વીર્ય વગેરે ધાતુઓને સંગ્રહ થાય છે અને એનાથી મેહની ઉત્પત્તિ થાય છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૨ ૭
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy